________________
“સાચા કે ખોટા દોષો સાંભળવાના કારણે અંદરમનમાં અને બહાર-શરીરમાં જે ફુરણ [ક્રોધના વિકાર]. સ્વરૂપ અવિચારી કાર્યનો પરિણામ છે તે ક્રોધકંડૂતિનું ચિહ્નલક્ષણ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દોષથી પરિપૂર્ણ આ જીવન છે – એમાં કોઈ જ શંકા નથી. દોષોનો પાર નહિ હોવા છતાં આપણા દોષને સાંભળવાનું મોટાભાગે આપણને ગમતું નથી. એમાં પણ સાચા કે ખોટા દોષને સાંભળવાનો અવસર આવે છે ત્યારે . ક્રોધ આવે છે. એના વિપાક-ફળસ્વરૂપે અંદર મનમાં ને મનમાં બળવાનું થાય છે. શું કરું ને શું ન કરું – એવો પરિણામ આવે છે. એ આન્તરિક પરિણામવિશેષને અંતઃસ્કુરણ કહેવાય છે; અને બહાર શરીરમાં અપ્રસન્નતા, હાથ વગેરેની ચેષ્ટાવિશેષ અને મુખાદિની વિકૃતિવિશેષ દેખાય છે તેને બહિસ્કુરણ કહેવાય છે. અથવા અંદર, ક્રોધનું વધવું અને બહારથી, ચાલવા માંડવું તેને અનુક્રમે અંતઃસ્કુરણ અને બાહ્યસ્કુરણ કહેવાય છે, જે, ધર્મના અર્થીઓ માટે અવિચારી કાર્ય સ્વરૂપ છે. આપણા હિત માટે કોઈ કહે તો ક્રોધ આવવો ના જોઈએ. આવે તો પણ તેને કાર્યસ્વરૂપે પરિણમવા દેવો નહિ જોઈએ. કારણ કે એ વખતે હિતનો વિચાર કર્યા વિના કરેલું એ કાર્ય હોય છે. કોઈ પણ હિતની અર્થી એવું કાર્ય ન કરે. લોકોત્તરહિતના અર્થીએ તો ગમે તે રીતે એવા અવિચારી કાર્યથી સર્વથા દૂર રહેવું જોઈએ. પોતાના અત્યંત અહિતનું કારણ અને દુર્ગતિ સ્વરૂપ ફળને આપનારું એ અવિચારી કૃત્ય ક્રોધકંડૂતિનું લક્ષણ છે, જે ધર્મ-આરોગ્યનું