________________
પ્રરૂપેલા મતને આગમ કહેવાય છે. આવા પરમતારક શ્રી જિનાગમમાં જે સંમોહ-સંમૂઢતા છે તેને દૃષ્ટિસંમોહ કહેવાય છે. જે અભિપ્રાયથી જે વસ્તુ ફરમાવી હોય તે વસ્તુને તેનાથી જુદી જ રીતે જાણવી તેને દૂષ્ટિસંમોહ નામનો દોષ કહેવાય છે. આગમના વચનને અનુસરનારાને આવો દોષ સંભવતો નથી. આગમમાં એ વાતનું સમર્થન કરતાં ફરમાવ્યું છે કેવોડું રેફયા. આ ગાથાનો અર્થ, શંકા અને તેનો પરિવાર બને કરવા પૂર્વક સમજવાનો છે. આશય એ છે કે પરમતારક શ્રી જિનાલયસંબંધી ખેતર, સુવર્ણ વગેરે અને ગામ, ગાય વગેરે દ્રવ્યમાં લાગેલા યતિ-સાધુજનોને મનવચન-કાયાની શુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણેની શંકા છે. તેનો પરિહાર ઉપર જણાવ્યા મુજબ જ છે. જ્યારે ગૃહસ્થો એવા શ્રી જિનાલયસંબંધી દ્રવ્યની સારસંભાળ લેતા નથી અને ઉપેક્ષા કરવા પૂર્વક વિનાશ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે યતિજનો પરમતારક શ્રી જિનાગમને અનુસરી શ્રી જિનાલયસંબંધી ખેતર વગેરેની સારસંભાળ લે છે. અને તેમ કરવાથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ પોતે કરતા નથી. આથી તેમના મન-વચન-કાયાની શુદ્ધિમાં કોઈ બાધ આવતો નથી..
અથવા અહિંસા અને પ્રશમ [કષાયનો અનુદય] વગેરેનું તત્ત્વ અન્ય જૈનશાસ્ત્રોમાં સમાન હોવા છતાં માત્ર પારિભાષિક શબ્દના ભેદના કારણે આગમમાં વિપરીત | દૃષ્ટિવાળો પુરુષ થાય છે; તેનું કારણ તે તે પુરુષનો દૃષ્ટિસંમોહ નામનો દોષ છે. આશય એ છે કે હિંસાદિનું