________________
સ્વરૂપ તુલ્ય હોતે છતે તેનાથી વિરામ પામવા સ્વરૂપ મહાવ્રતોનું પ્રતિપાદન જૈનાગમોમાં કર્યું છે અને અકરણનિયમ વગેરે પરિભાષાવિશેષથી પાતંજલાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયું છે. એ જોઈને “મહાવ્રતાદિનાં પ્રતિપાદક મારાં આગમ સાચાં અને અકરણનિયમાદિ-પ્રતિપાદક આગમ બરાબર નહિ”-આ કદાગ્રહ છે. અન્યદર્શનોમાં પણ રહેલાં સર્વચનો પોતાના આગમથી ભિન્ન નથી. આથી જ ઉપદેશપદમાં કહ્યું છે કે-“શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલી દ્વાદશાર્ગી સર્વ પ્રવાદોદર્શનોનું ઉત્પત્તિસ્થાન છે. તેથી રત્નાકરતુલ્ય એવી દ્વાદશાંગીમાં બધું જ સુંદર છે.”-ઈત્યાદિ વિસ્તારથી બીજા ગ્રંથોમાં જણાવ્યું છે. ll૪-૧૧
આ રીતે દૃષ્ટિસંમોહનું વર્ણન કરીને હવે ધર્મપથ્યની અરુચિનું લિંગો દ્વારા સ્વરૂપ વર્ણવાય છે -
धर्मश्रवणेऽवज्ञाः तत्त्वरसास्वादविमुखता चैव । धार्मिकसत्त्वासक्तिश्च धर्मपथ्येऽरुचे लिङ्गम् ॥४-१२॥
પૂર્વે જણાવ્યા મુજબ ધર્મસિદ્ધિના કારણે વિષયતૃષ્ણા વગેરે પાપના વિકારો ઉત્પન થતા નથી. વિષયતૃષ્ણા અને દૃષ્ટિસંમોહ નામના પાપવિકારોના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે ધર્મપથ્યની અરુચિનું સ્વરૂપ વર્ણવવા તેનાં લિજ્ઞો-ચિહ્નો વર્ણવાય છે. “ધર્મશ્રવણમાં અવજ્ઞા; તત્ત્વસંબંધી રસના આસ્વાદ પ્રત્યે વિમુખતા અને ધાર્મિક જનોનો સમ્પર્ક | કરવો.આ ધર્મસ્વરૂપ પથ્યની અરુચિનાં લિફ્ટ છે આ