________________
હોવા છતાં જે કારણે નામની ભિન્નતાએ આગમમાં વિપરીત દૃષ્ટિ થાય છૅ, તે દોષને અધમ એવો દૃષ્ટિસંમોહ કહેવાય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે જે બે વસ્તુઓથી સામાન્ય રીતે એક જ ઉપકાર થતો હોવા છતાં, જે દોષને લઈને; નામ જુદું હોવાથી આગમના સંદર્ભમાં આત્મા વિપરીત-દૃષ્ટિવાળો થાય છે, તે અધમ દૃષ્ટિસંમોહ નામનો દોષ છે. દેખીતી રીતે હિંસાદિ બે આરંભનું ભોગોપભોગ-સ્વરૂપ ફળ સમાન હોવાથી બંન્ને આરંભનું તત્ત્વ એક જ-તુલ્ય-હોવા છતાં તેમાંના એક આરંભમાં પ્રવૃત્ત બનેલો પુરુષ; તે-પોતાના ફલમાં ઉપયોગી એવા- આરંભને સાવદ્ય [પાપયુક્ત] માને છે. જ્યારે બીજો પુરુષ તે આરંભ જેવા જ આરંભમાં પ્રવૃત્ત થયેલો; તે આરંભને નિર્દોષ માને છે; તે આરંભનું ફળ પોતે જ ભોગવે છે.- આવું જે દોષને લઈને થાય છે; તે ‘દૃષ્ટિસંમોહ' નામનો દોષ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે હિંસાદિ-આરંભનું ફળ દુઃખ દૂર કરવું કે માંસાહાર કરવો વગેરે છે. એવા વખતે યજ્ઞબાહ્ય હિંસાના આરંભને સાવધ માનવો અને તેના જેવા જ યજ્ઞીય હિંસા વગેરેના આરંભને નિર્દોષ માનવો; એ દૃષ્ટિસંમોહ દોષના કારણે થાય છે. કારણ કે બંને સ્થાને પોતાની ફલોપયોગિતાનું સામ્ય છે. છતાં એકને સાવધ અને બીજાને નિરવધ માનવોએ દૃષ્ટિસંમોહ છે.
અથવા ગુણ એટલે ભાવ-અધ્યવસાયવિશેષ છે; તેને આશ્રયી તત્ત્વ તુલ્ય હોવા છતાં નામના ભેદથી આગમમાં
૧૩૧