SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શમસ્વરૂપ શાંત પરિણતિમાં કોઈ પણ નિમિત્તને લઈને સામાન્ય ખજવાળ ઊપડે છે. એને દૂર કરવા કટુ વચનાદિનો પ્રયોગ કરવા વગેરે દ્વારા શમનું ઘર્ષણ થાય છે. પછી આનંદ થાય છે-સારું લાગે છે, આને જ ક્રોધકહૂતિ કહેવાય છે. પરિણામે પરિણતિ શિમપરિણતિ વિકૃત બને છે, જે ધર્મતત્ત્વને પામેલા માટે અપાયસ્વરૂપ છે. ધર્મતત્ત્વની સિદ્ધિને . જણાવનારું એ લક્ષણ નથી. ૪-લા હવે ઉપર જણાવેલા વિષયતૃષ્ણા વગેરે વિશેષ પાપવિકારોમાંના વિષયતૃષ્ણાનું લક્ષણ-સ્વરૂપ જણાવાય છે गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ॥४-१०॥ જેણીના કારણે ગમ્ય અને અગમ્ય એવા કોઈ પણ જાતના વિભાગનો વિચાર કર્યા વિના એ વિભાગનો ત્યાગ કરી વિષયોમાં તૃપ્તિ નહિ પામેલો એવો આત્મા અત્યંત પ્રવૃત્તિ કરે છે, તે આ વિષયતૃષ્ણા કહેવાય છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવેલા પાપવિકારોમાં વિષયતૃષ્ણાસ્વરૂપ પાપનો વિકાર ખૂબ જ ખરાબ છે. એ વિષયતૃષ્ણાના કારણે ગમ્ય . વિવાયોગ્ય અને અગમ્ય [સેવવા અયોગ્ય] તેમ જ ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેય તથા ઈચ્છનીય અને અનિચ્છનીય આવો કોઈ પણ પ્રકારનો વિભાગ કર્યા વિના એટલે કે ગમ્ય, ભક્ષ્ય વગેરેનું આસેવન અને અગમ્ય,
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy