________________
તેની નીરોગિતાનું મહત્ત્વ વિશેષ છે-એ સમજી શકાય છે. I૪-૮.
ધર્મસ્વરૂપ ભાવારોગ્ય પ્રાપ્ત થયે છતે પાપવિકારો પ્રાપ્ત . થતા નથી-એમ સામાન્યથી વર્ણવીને હવે જે પાપ-વિકારો પ્રાપ્ત થતા નથી, તેને વિશેષથી જણાવાય છે -
तन्नास्य विषयतृष्णा •प्रभवत्युच्चै न दृष्टिसम्मोहः । अरुचिर्न धर्मपथ्ये न च पापा क्रोधकण्डूतिः ॥४-९॥
ઉપર જણાવ્યા મુજબ ધર્મતત્ત્વને પ્રાપ્ત કરેલા પુણ્યાત્માઓને પાપવિકારો હોતા નથી તેથી ઘર્મતત્ત્વથી યુક્ત એવા આત્માને; જેનું સ્વરૂપ આગળ વર્ણવાશે એવી વિષયતૃષ્ણા, ઉત્કટ દૃષ્ટિસંમોહ, ઘર્મ માટે હિતકર એવા વિષયમાં ઈચ્છાના અભાવ સ્વરૂપ અરુચિ અને પાપસ્વરૂપ અથવા પાપના કારણ સ્વરૂપ ક્રોધકંડૂતિ ચિળ]- આ પાપવિકારો ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. વિષયતૃષ્ણાદિ પાપવિકારોનું સ્વરૂપ આગળની ગાથાઓમાં જણાવાશે. વહૂતિ શબ્દ ધાતુને ક્રિયાપદને રિ(તિ) પ્રત્યયાદિ કાર્ય થવાથી બને છે. વ્યાકરણના જાણકારો તે સમજી શકે છે. અહીં ક્રોધને જ કહૂતિખિજવાળ]રૂપે વર્ણવ્યો છે. શરૂઆતમાં શરીરના કોઈ પણ ભાગમાં ખજવાળ ઊપડે છે. પછી ખણવાથી આનંદ થાય છે-સારું લાગે છે, પણ પછીથી શરીર વલોરાય છે અને તેથી તે તે સ્થાને ચચરે છે. આવું જ આંતરિક પરિણતિ અંગે બનતું હોય છે.