SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાય છે. અને જ્યાં વિષયતૃષ્ણા વગેરે લિંગો જણાય છે ત્યાં તે તે આત્માઓને ધર્મની સિદ્ધિ થઈ નથી-એ સમજાય છે. આ રીતે આત્માનો સ્વભાવ એ વિધિમુખે ધર્મની સિદ્ધિનું લિંગ છે. અને વિકારો વિષયતૃષ્ણાદિ] એ વ્યતિરેકમુખે લિંગ છે. અંતે તો વિકારના અભાવે તે તે પુણ્યાત્માઓને ઘર્મની સિદ્ધિ થઈ છે-એ સમજાવવાનું જ તાત્પર્ય હોય છે. આથી સમજી શકાશે કે શરૂઆતનાં ઔદાર્યાદિ ગુણ સ્વરૂપ લિલ્ગોનું વર્ણન કરીને વિષયતૃષ્ણાદિ સ્વરૂપ દોષોના અભાવ સ્વરૂપ લિંગોનું આઠમી ગાથાથી વર્ણન કરાય છે. “બાહ્ય શરીરના રોગોનો અભાવ હોતે છતે જેમ રોગોના વિકારો [પીડા વગેરે નીરોગી માણસોને પ્રાપ્ત થતા નથી; તેમ ધર્મસ્વરૂપ ભાવ-આરોગ્ય પ્રાપ્ત થયે છતે આગળ જણાવાતા પાપવિકારો પણ થતા નથી.”- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. આનો આશય સમજી શકાય છે કે શરીરમાં રોગ ના હોય તો નીરોગી માણસને રોગના વિકાર અશક્તિ, પીડા કે મૂચ્છ વગેરે પ્રાપ્ત થતા નથી. રોગના અભાવમાં રોગપ્રતિકારક શક્તિ હોવાથી મોટા ભાગે નવા રોગોનું આક્રમણ પણ થતું નથી. આવી જ રીતે ધર્મ-સ્વરૂપ - ભાવારોગ્ય પ્રાપ્ત થયે છતે ભાવારોગ્યને હાનિ પહોંચાડનારા પાપવિકારો પણ પ્રાપ્ત થતા નથી. આગળ કહેવાતા પાપના વિકારો નડતા હોય તો ઘર્મસ્વરૂપ ભાવારોગ્ય પ્રાપ્ત થયું નથીએ માન્યા વિના ચાલે એવું નથી. ધર્મસિદ્ધિમાં ઔદાર્યાદિ ગુણોનું જે મહત્ત્વ છે, એટલું જ નહિ એથી પણ વધારે મહત્ત્વ પાપવિકારના અભાવનું છે. શરીરની સુંદરતા કરતાં
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy