SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન તથા ભાવનાજ્ઞાન સારભૂત છે જેમાં એવો નિર્મળબોધ' ધર્મસિદ્ધિનું લિંગ જાણવું.”- આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિર્મળ બોધ ધર્મસિદ્ધિનું ચોથું લિંગ છે. માત્ર બોધ ઘર્મસિદ્ધિનું લિંગ નથી. બોધની નિર્મળતાના કારણે એ બોધ ઘર્મસિદ્ધિનું લિંગ બને છે. ઘર્મસિદ્ધિની કારણભૂત નિર્મળતા શુશ્રુષાભાવથી ઉત્પન છે. ભવનિસ્તારક પૂજ્ય ગુરુભગવંત પાસેથી વિનયબહુમાનાદિપૂર્વક સાંભળીને બોધ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે તેને શુશ્રુષા કહેવાય છે. તે શુશ્રુષાનો જે પરિણામ છે, તેથી ઉત્પન્ન થયેલો બોધ અથવા તો શુશ્રુષા સ્વરૂપ જે પરિણામભાવ, તેનાથી ઉત્પન્ન થયેલો બોધ નિર્મળ બોધ છે-એ ધર્મસિદ્ધિનું લિંગ છે. “શુભૂષામાવસિષ્યવ’ આ પદથી ગ્રંથકારશ્રીએ એક માર્મિક વાત કરી છે. કોઈ પણ શાસ્ત્રનો બોધ પ્રાપ્ત કરવા માટે પૂ. ગુરુદેવશ્રી પાસે શ્રવણ કરવું જોઈએ. જ્યાં સુધી પૂ. ગુરુભગવંત શાસ્ત્રનું શ્રવણ કરાવે છે, ત્યાં સુધી તે તે શાસ્ત્રનો બોધ તે તે શાસ્ત્રના શ્રવણથી જ પ્રાપ્ત કરવો જોઈએ. શાસ્ત્રના બોધની સાથે પૂ. ગુરુદેવશ્રીને પ્રાપ્ત થયેલ અનુભવજ્ઞાન પણ પ્રાપ્ત થતું હોય છે. ગ્રન્થના માત્ર વાંચનથી એવો વિશેષ બોધ પ્રાપ્ત થતો નથી. જે જ્ઞાન ગુરુગમથી શક્યા છે; એ જ્ઞાન માત્ર શાસ્ત્રવાંચનથી શક્ય નથી. વર્તમાનમાં આ શુશ્રુષાગુણ લગભગ નાશ પામતો જાય છે. પુસ્તકો વગેરેના કારણે ખૂબ જ સરળતાથી જ્ઞાન-બોધ મળવાથી “ગુરુગમથી પ્રાપ્ત થનારો નિર્મળબોધ પ્રાપ્ત ન થયો. માત્ર શબ્દાનુસારી
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy