SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું નહિ અને ભવિષ્યમાં પાપ કરવાની વિચારણા ન કરવા સ્વરૂપ પાપની બ્રુગુપ્સા અનુક્રમે વર્તમાનાદિ-ત્રણકાળ-સંબંધિની છે”-આ પ્રમાણે ગાથાનો સામાન્યાર્થ છે. ભાવાર્થ એ છે કેપાપના પરિહાર સ્વરૂપ પાપજીગુપ્સા છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન-એ ત્રણકાળ-સંબંધી પાપનો પરિહાર [ત્યાગ] પણ ત્રણ પ્રકારનો છે. ભૂતકાળમાં થયેલાં પાપ તો થઈ ગયાં હોવાથી જોકે તેનો પરિહાર કરવાનું શક્ય નથી; પરન્તુ જે ભાવથી એ પાપ કર્યાં હતાં તે ભાવની નિવૃત્તિ કરીને તેની નિંદા-સ્વરૂપ તેનો પરિહાર શક્ય છે. સમ્યગ્ એટલે અવિપરીત એવા પરિશુદ્ધ મન વડે નિરંતર પાપનો ઉદ્વેગ કરવા સ્વરૂપ અહીં પાપજીગુપ્સા છે. પાપનો નિષેધ કરનારા મુખ કે હાથ વગેરેની ચેષ્ટાવિશેષના કારણે જણાતા અવિપરીત પરિશુદ્ધ મન વડે સતત અતીતભૂતકાળના પાપની નિંદા કરવાની છે. એકવાર પણ કરેલા પાપની નિંદા સતત કરવાની. અર્થ-કામની દરરોજની પ્રવૃત્તિઓમાં એકાદવાર પણ ભૂલ થયા પછી એનો ખેદ દરરોજ રહ્યા કરે છે. આવો ખેદ અતીતકાળમાં થયેલાં પાપઅંગે અનુભવાય તો તેની નિંદા ઉપર જણાવ્યા મુજબ પરિશુદ્ધ મન વડે થઈ શકશે. બાહ્યપ્રવૃત્તિ અને મનના વિચારો-એ બેનો મેળ બેસે તો સમજવાનું કે મન અવિપરીત છે. અન્યથા બાહ્યપ્રવૃત્તિ સાથે મનના વિચારોને વિરોધ હોય તો ત્યાં મન વિપરીત હોય છે. પ્રવૃત્તિની સાથે સંવાદી મન વડે પાપની નિંદા કરવી જોઈએ. મુખ ઉપર દુ:ખની ઘેરી છાયા હોય; અંજલિબદ્ધ હાથ હોય અને શરીરમાં નમ્રતા ૧૨૧
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy