________________
હવે ધર્મસિદ્ધિના ત્રીજા લિંગ પાપજાગુપ્તાનું સ્વરૂપ જણાવાય છે -
पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोबेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ॥४-५॥
ઘર્મસિદ્ધિનાં બે લિંગોનું વર્ણન કરીને ચોથા ષોડશકની પાંચમી ગાથાથી “પાપજુગુપ્સા' નામના લિંગનું સ્વરૂપ જણાવાય છે. ઔદાર્ય અને દાક્ષિણ્ય-આ બે લિંગોને પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવવા માટે પાપજાગુપ્તાને પ્રાપ્ત કરી લેવાનું ખૂબ જ આવશ્યક છે. પાપ નહિ કરવા છતાં કેટલીકવાર પાપની જુગુપ્સા હોતી નથી. પાપ કરવાની અનુકૂળતા કે સામર્થ્ય વગેરે ન મળે તો પાપની પ્રવૃત્તિ ન પણ થાય; પરંતુ આવા પ્રસંગે એ જીવોને પાપની જુગુપ્સા છે જ'-આવું મનાય નહિ. અત્યંત અરુચિને જુગુપ્સા કહેવાય છે. જોવાની પણ ઈચ્છા ન થવી-એ જાગુપ્તાનું લક્ષણ છે. અશુચિપદાર્થોની જુગુપ્સાનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. એવો અનુભવ જો પાપના વિષયમાં થાય તો ધર્મસિદ્ધિનું ત્રીજું લિંગ પ્રાપ્ત થયા વિના નહીં રહે. અશુચિપદાર્થો કરતાં પાપની ભયંકરતા સમજાય તો જ એ શક્ય બને. પાપની જાગુપ્તા વિના ઔદાર્ય કે દાક્ષિણ્ય વાસ્તવિકપણે રહેતાં નથી. માત્ર દેખાવપૂરતા-અવાસ્તવિક એ લિંગો ધર્મસિદ્ધિનું કારણ બનતાં નથી.
સમ્યક-અવિપરીત એવા પરિશુદ્ધ મનથી સતત ભૂતકાળના પાપનો ઉગ નિંદા કરવો; વર્તમાનમાં પાપ