________________
આવી જ રીતે બીજાનું કામ કરતી વખતે વૈર્ય-[ધીરતા] રાખવું જોઈએ. ધીરજ-સ્થિરતા વિના જેમતેમ કરાતું કાર્ય પોતાના અર્થની સિદ્ધિનું કારણ બનતું નથી. કાર્યની અસ્થિરતા કાર્યની અસિદ્ધિનું કારણ છે. સ્થિરતાપૂર્વકનું કાર્ય વિરક્ષિત ફળને આપનારું છે. ધીરજ ન હોય તો “દાક્ષિણ્ય'નો કોઈ અર્થ નથી. દાક્ષિણ્ય પાછળ જે આશય રહ્યો છે, એ આશયની સિદ્ધિ ધૈર્ય વિના શક્ય નથી. વૈર્ય-સ્થિરતા ખરેખર જ સર્વસિદ્ધિનું મૂળ છે. આ રીતે ઘીરતા અને સ્થિરતા પૂર્વક કરાયેલું કાર્ય સિદ્ધિનું કારણ બને છે. આવી સિદ્ધિ મળી ગયા પછી જો બીજાને મળેલી સિદ્ધિ જોઈને માત્સર્ય આવે તો દાક્ષિણ્ય' ટકશે નહિ. કારણ કે એકવાર બીજાના ગુણોની પ્રશંસા સહન ન થવા સ્વરૂપ જે માત્સર્ય છે; તેના કારણે રાતદિવસ બીજાને ઉતારી પાડવાનો પરિણામ રહેવાથી, બીજાને અનુકૂળ બની રહેવાનો પરિણામ નાશ પામ્યા વિના નહિ રહે. આથી જ દાક્ષિણ્ય' નામના શુભાશયને માત્સર્યનો નાશ કરનાર તરીકે વર્ણવ્યો છે. જે શુભાશય માત્સર્યનો વિઘાત-નાશ કરી શકતો નથી તે દાક્ષિણ્યસ્વરૂપ શુભાશય મનાતો નથી. માત્સર્યનો નાશ કરનાર શુભપરિણામ ગુણના અનુરાગનું કારણ બને છે. અને ગુણનો અનુરાગ ક્રમે કરી આત્માને ગુણસમ્પન્ન બનાવી ગુણથી પરિપૂર્ણ [સિદ્ધ બનાવે છે. ગુણસંપન્ન આત્માએ ગુણથી પરિપૂર્ણ બનવા માટે ગુણના અનુરાગી બની રહેવું જોઈએ, જે માત્સર્યના ત્યાગથી જ શક્ય બને છે. ૪-૪