________________
પોતાના કાર્યની જેમ ઉત્સાહને અનુકૂળ અને માત્સર્યના વિઘાતને કરનારો એવો પરમ-શ્રેષ્ઠ જે શુભાશય-તે દાક્ષિણ્ય જાણવું-આ પ્રમાણે ચોથી ગાથાનો શબ્દાર્થ છે. ઓશય એ છે કે સામાન્ય રીતે પૂર્વે જણાવ્યા મુજબ બીજાને અનુકૂળ થવાના પરિણામને દાક્ષિણ્ય' કહેવાય છે, જે; બીજાના કાર્યમાં પણ પોતાના કાર્યની જેમ ઉત્સાહ સ્વરૂપ શુભ અધ્યવસાય છે. એ શુભ અધ્યવસાયના, ગાંભીર્ય અને શૈર્યસહાયભૂત પરિણામ છે. એ બંનેની સહાય ન હોય તો દાક્ષિણ્ય' ખરી રીતે દાક્ષિણ્ય નથી રહેતું.
જેના મધ્યભાગને હૈિયાને બીજા જાણી શકતા નથી તેને ગંભીર કહેવાય છે. તેના ઘર્મને ગાંભીર્ય કહેવાય છે. ગાંભીર્ય, આમ જુઓ તો સ્પષ્ટ જ છે. કોઈ પણ કામ કર્યા પછી કે કરતાં પૂર્વે કોઈને પણ તેની જાણ નહીં થવા દેવાના પરિણામને ગાંભીર્ય કહેવાય છે. દાક્ષિણ્યની સાથે જો એવું ગાંભીર્ય ન હોય તો સામી વ્યક્તિ આપણને એનું કામ કરવા દેશે નહિ. અથવા તો તેને એમ થશે કે “આના કરતાં તો આની પાસે કામ કરાવ્યું ન હોત તો સારું !” દાક્ષિણ્યને આધીન બની જે કોઈ પણ કામ કરીએ તોપણ તેની જાણ કોઈને પણ કરવાની ન હોય. એ માટે ગાંભીર્ય હોવું જોઈએ.. કામ કર્યા પછી એને ચાર જણની વચ્ચે ગાયા કરવાની પ્રવૃત્તિ સારી નથી. સારું કામ કર્યા પછી એને છુપાવવાનું પણ શીખી લેવું જોઈએ. નહિ તો સારા કામનું જોઈએ તેવું ફળ નહીં મળે. પાપની પ્રવૃત્તિ કર્યા પછી જે ગંભીરતા રખાય છે, એવી જ ગંભીરતા; સારું કાર્ય કર્યા પછી પણ રાખવી જોઈએ.