________________
વૃત્તિ. આના માટે હૈયાની ઉદારતા કેળવવી પડે. સહનશીલતાને પ્રાણ બનાવ્યા વિના તુચ્છવૃત્તિ નાશ નહીં પામે. આપવું અને જતું કરવું એ બેમાં ફરક સમજી શકાય તો પારમાર્થિક ઉદારતાનો પરીચય થયા વિના નહીં રહે. આપવા માટેની ઉદારતા અને જતું કરવા માટેની ઉદારતાઃ એ બેમાં ઘણો જ ફરક છે. ધર્માત્માઓએ એ ફરક સમજી લેવો જોઈએ. દાન આપવું એ જુદી વસ્તુ છે અને આપણા હકની પણ વસ્તુ જતી કરવી એ જુદી વસ્તુ છે. અઘરું છે આ બધું ! ઘર્મ કરનારાની મનોદશા કેવી હોવી જોઈએ-તે આથી સમજી શકાય છે. સહન કરવાની વૃત્તિ કોઈ પણ રીતે નાશ ન પામે એનો, ધર્મ કરનારાએ સતત ખ્યાલ રાખી આ ઔદાર્ય આત્મસાત્ કરી લેવું જોઈએ. શક્તિ કેટલી છે-એનો વિચાર કર્યા વિના શક્તિ મેળવી લેવાનો વિચાર કરીએ તો “ઔદાર્ય પ્રાપ્ત થયેલું જ છે. દાનાદિ ઘર્મની આરાધનામાં સંકુચિત પરિણામનો એથી ત્યાગ કરી શકાશે. શક્તિ મુજબ કરશું એના બદલે શક્તિ મેળવીને કરશું-આવો પરિણામ સર્વદા ટકી રહે તો ધર્મની સિદ્ધિ નિર્વિવાદપણે છે.. I૪-૩
- હવે દાક્ષિણ્ય' નામના બીજા ધર્મસિદ્ધિના લિંગનું વર્ણન કરાય છે -
दाक्षिण्यं परकृत्येष्वपि योगपरः शुभाशयो ज्ञेयः । गाम्भीर्यधैर्यसचिवो मात्सर्यविघातकृत्परमः ॥४-४॥ 'ગંભીરતા. અને ધીરજ પૂર્વક બીજાના કાર્યમાં પણ