________________
ગુરુવર્ગસંબંધી અને દીન-અંધ વગેરે અનાધાર-જનસંબંધી તે તે દાનાદિ કાર્ય ઔચિત્યપૂર્વક કરવું તેને ઔદાર્ય કહેવાય છે.
અહીં ધર્મસિદ્ધિના પ્રથમ લિંગ તરીકે વર્ણવેલા ઔદાર્યમાં અને પ્રસિદ્ધ એવા ઔદાર્યમાં ઘણો ફરક છે. કોઈ પણ કામ માટે મુક્તહસ્તે ધન વગેરેનો વ્યય કરવાથી સામાન્ય રીતે તે વ્યક્તિમાં ઔદાર્ય મનાય છે. એ પ્રસિદ્ધ ઔદાર્યની અપેક્ષાએ ધર્મસિદ્ધિના લિંગ તરીકે વર્ણવેલા ઔદાર્યમાં થોડો ફરક છે. અહીં દાનાદિ ચારેય ધર્મની સિદ્ધિનું લિંગ ઔદાર્ય વર્ણવ્યું છે, માત્ર દાનધર્મની સિદ્ધિનું લિંગ જ ઔદાર્ય નથી. તુચ્છવૃત્તિના અભાવ સ્વરૂપ ઔદાર્યને જ અહીં ઔદાર્ય માન્યું છે, જે; દાનાદિ ચારેય ધર્મની સિદ્ધિને જણાવનારું છે. તુચ્છવૃત્તિ પરાસહિષ્ણુતાનું કારણ છે. પોતાને કે પોતાનાને છોડીને સમગ્ર પદાર્થો પર છે. એના કારણે ગમે તેટલી પ્રતિકૂળતા પ્રાપ્ત થાય તોપણ તેને દીનતા વિના સહન કરી લેવાની જે વૃત્તિ છે-તેને સહિષ્ણુતા કહેવાય છે, જે; તુચ્છવૃત્તિના અભાવને સૂચવે છે. વ્યવહારમાં પણ સહનશીલ માણસને ઉદાર કહેવાય છે. સહેજ પણ સહન નહિ કરનારા માણસને દુનિયામાં તુચ્છવૃત્તિવાળો કહેવાય છે. સંસારમાં પણ સારા માણસો સહનશીલ-ઉદારવૃત્તિવાળા કહેવાય છે. કોઈનું પણ વેઠી લેવાનો સ્વભાવ, ઉદાર-સ્વભાવ છે. ધર્માત્મામાં એ હોવો ખૂબ જ જરૂરી છે. આપણી પાસેની કોઈ પણ વસ્તુ આપી દેવી-એ ઉદારતાની એક બાજુ છે. એથી પણ વધારે સારી ઉદારતાની બીજી બાજુ એ છે કે આપણને કોઈ કશું જ ન આપે અથવા તો પ્રતિકૂળતા આપે તોપણ વેઠી લેવાની
૧૧૬