________________
લાભ અલ્પ હોય છે તેવાં કાર્યોને ગુરુ કહેવાય છે. અને જેમાં મહત્ત અલ્પ હોય છે પણ લાભ વધારે હોય છે, તેવાં કાર્યોને લઘુ કહેવાય છે. લોકોત્તર માર્ગાનુસારી આત્માઓને એ ગુરુલાઘવનું જ્ઞાન હોવું જોઈએ. એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે વિશિષ્ટ વિવેક જોઈએ. એ વિવેક મધ્યમબુદ્ધિવાળા આત્માઓને હોતો નથી. તેથી તેવા પ્રકારના જ્ઞાનથી થઈ શકનારાં અને વિપુલ ફળને આપનારાં કાર્ય મધ્યમબુદ્ધિવાળા કરી શકતા નથી. પંડિત જનોને જ એ સંભવે છે. મોક્ષમાર્ગની સાધનામાં પોતાની નિપુણતાનો ઉપયોગ કરી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રનું અનુસરણ કરનારા પંડિત જનો સદ્ધર્મની પરીક્ષા કરવા સમર્થ છે. બાલ કે મધ્યમ જીવોમાં એવું સામર્થ્ય હોતું નથી. પરંતુ તેઓ ધર્મના અર્થી હોવાથી પોતાની રીતે સદ્ધર્મની પરીક્ષા કરતા હોય છે. કાલાન્તરે પૂજ્ય ગુરુભગવંતો પાસેથી પોતાને યોગ્ય એવી સધર્મદેશના-શ્રવણાદિ દ્વારા તેઓ પંડિત બની સાચી રીતે સદ્ધર્મની પરીક્ષા કરનારા બને છે. ઘર્મની અર્થિતાનો આ અદ્ભુત પ્રભાવ છે. સંસારસુખની અર્થિતાને લઈને આવતી ઘર્મની અર્થિતા ખરેખર જ ધારણા મુજબના ફળને આપનારી બનતી નથી. આથી જ સદ્ધર્મની પરીક્ષા કરનારાને અહીં ધર્મના અર્થારૂપે વર્ણવ્યા છે. બાલાદિ જીવોને સંસારસુખના અર્થી તરીકે જેઓ વર્ણવે છે, તે તેમનું વર્ણન સાચું નથી-એ યાદ રાખવું./૧-
ધર્મના અર્થ એવા બાલ જીવો બાહ્યવેષને પ્રધાન