SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ औदार्यं दाक्षिण्यं पापजुगुप्साथ निर्मलो बोधः । .. સિંગાનિ ઘર્મસિઃ પ્રાયેન નનયિત્વે જ આ૪-રા ઉદારજનના ભાવને ઔદાર્ય કહેવાય છે અને અનુકૂળતાને દાક્ષિણ્ય કહેવાય છે. બંનેનું સ્વરૂપ આગળની ગાથામાં જણાવાશે. પાપના પરિહારને પાપગુપ્તા કહેવાય છે. નિર્મળબોધનું સ્વરૂપ પણ આગળની ગાથામાં વર્ણવાશે. ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપગુપ્તા, નિર્મળબોધ અને મોટાભાગે જનપ્રિયત્વ- આ ઘર્મસિદ્ધિનાં લક્ષણ-ચિહ્ન છે - આ પ્રમાણે બીજી ગાથાનો સામાન્યાર્થ છે. ઔદાર્ય વગેરે આત્માના પરિણામ છે. જનપ્રિયત્વ, વિશિષ્ટકર્મના ઉદયે પ્રાપ્ત થનારો ઔદયિક પરિણામ છે. ગાથામાં પાંચ લિગો છે. ચાર લિંગોને જણાવીને પછી પાંચમું લિંગ જુદું જણાવ્યું છે. આથી લિંગોના ઉપર જણાવ્યા મુજબ ક્ષાયોપશમિક અને વિશિષ્ટ ઔદયિકભાવ સ્વરૂપ બે ભેદ સમજાય છે, જે દરેક લિંગના આગળની ગાથાઓમાં કરેલા વર્ણનથી સ્પષ્ટપણે સમજી શકાશે. I૪-રા ' હવે “ઔદાર્યનું સ્વરૂપ જણાવાય છે - ' औदार्यं कार्पण्यत्यागाद् विज्ञेयमाशयमहत्त्वम् । गुरुदीनादिष्वौचित्यवृत्ति कार्ये तदत्यन्तम् ॥४-३॥ કૃપણતાનો ત્યાગ કરવા પૂર્વક, ગુરુ વગેરેના તેમ જ દીન વગેરેના દાનાદિસંબંધી કોઈ પણ કાર્યમાં અત્યન્ત ઉચિત વર્તન કરવા સ્વરૂપ જે ચિત્તનું મહત્ત્વ છે-તેને ઔદાર્ય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy