SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હોવો જોઈએ. અન્યથા માત્ર શરીરમાં વર્તતો ઘર્મ કર્મનો નાશ કરી શકશે નહિ. નાશ્ય કર્મ અને નાશક ધર્મભિન્ન અધિકરણમાં હોય તો નાશકથી નાશ્યનો નાશ થશે નહિ-એ સ્પષ્ટ છે. કપડાના મેલનો નાશ પાણીથી થાય છે, પરંતુ એ પાણી મેલા કપડામાં ન પહોંચે તો પાણી કપડાના મેલનો નાશ કઈ રીતે કરે ? બાહ્ય-અનુષ્ઠાનસ્વરૂપ તે તે ધર્મ આત્મપરિણત ન બને તો કોઈ પણ રીતે તે ઘર્મ, કર્મનો નાશ નહિ કરે. આથી જ આત્મપરિણત ધર્મસિદ્ધિનાં લિંગો અહીં વર્ણવ્યાં છે. આમ પણ બાહ્ય ધર્મ તો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી તેનાં લિંગો જણાવવાનું કોઈ પ્રયોજન નથી. આત્મપરિણત ધર્મ અતીન્દ્રિય હોવાથી તેને જાણવા માટે લિગોનું વર્ણન અહીં કર્યું છે. ' ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે સિદ્ધ એટલે નિષ્પન-પ્રાપ્ત થયેલા અને અનુભવેલા ઘર્મતત્ત્વનાં, અવિપરીતપણે કહેવાશે તે લિો છે. અથવા આગળ કહેવાશે એ પ્રશસ્ત લિંગો છે, જે; તત્ત્વના જાણકાર મહાત્માઓએ ભવ્ય એટલે યોગ્ય જીવોને સુખપૂર્વક સમજાય - એ માટે શાસ્ત્રમાં જણાવ્યાં છે. I૪-૧ ધર્મસિદ્ધિનાં લિગોને સ્વરૂપથી નામમાત્રથીજણાવાય છે. ન્યાયની પરિભાષામાં કહીએ તો લિગોનો વિભાગ કરાય છે. અર્થાત્ તે જેટલા પ્રકારના છે તેટલા બધા જ પ્રકારો નામમાત્રથી-સ્વરૂપથી જણાવાય છે -
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy