________________
રહેતો નથી. આથી હું જે કરું છું તે જ સારું છે. આવા પ્રકારના બહુમાનના અભાવે ઘર્મના વિષયમાં તીવ્ર ઉત્સાહ પ્રાપ્ત થાય છે, જેના યોગે તે ધર્મની સિદ્ધિને તે સમ્યગ્દષ્ટિ આત્મા પ્રાપ્ત કરે છે. ll૩-૧દશા | | કૃતિ તૃતીય ષોડશવમ્ |
સરક
अथ चतुर्थं षोडशकम् । ત્રીજા ષોડશકમાં ધર્મનું પોતાનું સ્વરૂપ વર્ણવ્યું. હવે ધર્મનાં લિફ્ટો વિસ્તારથી વર્ણવાય છે -
सिद्धस्य चास्य सम्यग्लिङ्गान्येतानि धर्मतत्त्वस्य । विहितानि तत्त्वविद्भिः सुखावबोधाय भव्यानाम् ॥४-१॥
“ભવ્યજીવોના સુખપૂર્વક બોધ માટે તત્ત્વના જાણકારોએ, સિદ્ધ થયેલા આ ધર્મતત્ત્વના આગળ કહેવાશે તે લિંગો શાસ્ત્રમાં સારી રીતે કહ્યાં છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે-ત્રીજા ષોડશકમાં “ શ્ચત્તમ.' ઈત્યાદિ વચનોથી ઘર્મનું સ્વરૂપ ગ્રન્થકારે વર્ણવ્યું છે. એ સાંભળ્યા પછી સ્વભાવથી જ મુમુક્ષુને ચિંતા હોય છે કે મને ધર્મની સિદ્ધિ થઈ છે કે નહિ ?” એ ચિંતાને દૂર કરવા આ ચોથા ષોડશકમાં ગ્રન્થકારશ્રીએ ધર્મસિદ્ધિનાં લિંગો વર્ણવ્યાં છે. એ લિલ્ગોના જ્ઞાનથી ખૂબ જ સરળતાથી ધર્મસિદ્ધિનો બોધ થાય છે. ધર્મ, કર્મના ક્ષયનું કારણ છે. કર્મ આત્મબદ્ધ છે. એ કર્મના નાશ માટે કરાતો ધર્મ પણ આત્મપરિણત