________________
યોગીની પાછળ આશય તો એક માત્ર મોક્ષનો જ છે. અસંખ્ય યોગોમાંથી કોઈ યોગ સંયોગવશ રહી જાય તો બીજા યોગની આરાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે; પરન્તુ અસંખ્ય યોગોની પાછળનો એ એકમાત્ર મોક્ષનો આશય વીસરી જવાય તો ક્યો યોગ મોક્ષની સિદ્ધિનું કારણ બનશે? મોક્ષના આશયની પ્રાપ્તિમાં અવરોધ કરનારી તીવરાગદ્વેષની પરિણતિને કોઈ પણ રીતે તોડ્યા વિના ચાલે એવું નથી. મુમુક્ષુજનોએ દરેક ધર્માનુષ્ઠાનો કરતી વખતે એ તરફ ધ્યાન આપવું જોઈએ. અન્યથા લક્ષ્ય વિનાનાં અનુષ્ઠાનો સિદ્ધિનાં કારણ નહીં બને.
ગાથામાંના પાપ પદનો અર્થ સમજાવતી વખતે તત વાર્થ વા પ્રવચનો ધાતારિ આ પ્રમાણે જણાવ્યું છે. જેનો આશય સ્પષ્ટ છે કે-મિથ્યાત્વથી વાસિત બનેલા, પ્રવચનનો ઉપઘાત હિાનિ પહોંચાડવી.] વગેરે કાર્ય કરતા રહે છે. સામાન્ય રીતે તે જીવોને રાગદ્વેષની પરિણતિ તીવ્ર હોવાથી પોતે સારા નહિ હોવા છતાં સારા દેખાવા માટે પ્રયત્ન કરતા રહે છે. એ માટે જરૂર પડે તો પ્રવચનની હાનિ થાય તો પણ તેની તેઓ ચિંતા રાખતા નથી. પોતાની જાત કરતાં પ્રવચન અધિક છે એવી માન્યતા તેમની ન હોવાથી પ્રવચનનો ઉપઘાત કરીને પણ તેઓ પોતાના દોષોને છુપાવીને પોતાના ગૌરવને વધારતા રહે છે. પોતાના દોષોને વ્યાજબી બનાવવા માટે પ્રવચનમાં કાંઈ એકાન્ત નથી; જેની જેવી શક્તિ, તે પ્રમાણે તેઓ ધર્મ કરે; યોગ અસંખ્ય છે; બધા જ બધા આરાધે એવું નથી.”. વગેરે જણાવી પ્રવચનનો ઉપઘાત કરવો-એ