________________
કર્મક્ષયસ્વરૂપ શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. ગાથામાં “ધર્મતત્ત્વ આ વિધેયપદના લિફ્ટની વિવક્ષાના કારણે પતરું આ પ્રમાણે નપુંસકલિફ્ટનો નિર્દેશ છે. તેથી ભાવનું નિરૂપણ ચાલુ હોવા છતાં પણ?' આ પ્રમાણે પુલિંગ-નિર્દેશ કર્યો નથી. આ ભાવ જ ધર્મનું તત્ત્વ છે, બીજાં અનુષ્ઠાન વગેરે નહિ. આ ભાવ; ઉપર જણાવ્યા મુજબ આત્માનો પરિણામ હોવાથી અધ્યાત્મગર્ભિત હોવાથી પરમયોગસ્વરૂપ છે, જે યોગ; મુક્તિના વિશિષ્ટ અભિલાષસ્વરૂપ છે અથવા પૂર્વે જણાવ્યા મુજબ વિશિષ્ટ મુક્તિના રસ-આસ્વાદ સ્વરૂપ છે. li૩-૧૩
ઉપર જણાવ્યા મુજબ ભાવથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે-એ વાત બરાબર છે. તેમ જ એની પણ પૂર્વે શુદ્ધિ વાપના ક્ષયથી થાય છે એ પણ જણાવ્યું છે. પરંતુ અનાદિના અતીત [ભૂત કાળમાં વારંવાર પાપનું સારી રીતે સેવન કર્યું છે, તેને છોડીને આત્મા ભાવને જ અભિલશે અને "ભવોભવથી અભ્યસ્ત બનેલા એવા શુદ્ધિના વિરોધી પાપ ઉપર બહુમાન કરે નહિ-એ કઈ રીતે બને ? ખરી રીતે તો પાપ ઉપર જ બહુમાનનો સંભવ છે-આવી શંકાનું સમાધાન કરતાં ચૌદમી ગાથામાં ફરમાવ્યું છે કે –
अमृतरसास्वादज्ञः कुभक्तरसलालितोऽपि बहुकालम् । त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ॥३-१४॥
ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે-અમૃતરસનો જાણકાર; ઘણા કાળથી ખરાબ અનના રસ[કુરસથી લાલન-પાલન કરાયેલો