SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષનું કારણ બને છે. પ્રણિધાનાદિશૂન્ય ધર્માનુષ્ઠાન યોગસ્વરૂપ નથી, જેથી તેવા અનુષ્ઠાનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. ૩-૧રો આ રીતે દ્રવ્યક્રિયાઓ તુચ્છ છે-એ જણાવીને જે કારણથી ભાવની પ્રધાનતા વર્ણવાય છે તે જણાવાય છે अस्माच्च सानुबन्धाच्छुद्ध्यन्तोऽवाप्यन्ते द्रुतं क्रमशः । एतदिह धर्मतत्त्वं परमो योगो विमुक्तिरसः ॥३-१३॥ ક્રમે કરી અનુબંધ [ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેના આ ભાવ પિરિણામ)થી શુદ્ધિકર્મક્ષયનો પ્રકર્ષ જલદી પ્રાપ્ત થાય છે. આ ભાવ જ અહીં પરમાર્થથી ધર્મનું રહસ્ય છે; પરમોચ્ચકોટિનો યોગ છે. અને વિમુક્તિરસ (મોક્ષરસ છે-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-પૂર્વે જણાવેલા પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયસ્વરૂપ જે ભાવ છે તે અનુબંધસહિત હોય તો તે ભાવ સાનુબંધ કહેવાય છે. વર્તમાનમાં જે ભાવ છે તે ક્રમે કરી ઉત્તરોત્તર જન્મમાં અવિચ્છિન્નપણે ચાલ્યા કરે ત્યારે તેની પરંપરાસ્વરૂપ ઉત્તરોત્તર જે વૃદ્ધિ થાય છે તેને ભાવનો અનુબંધ કહેવાય છે. એવા અનુબંધની સાથે હંમેશાં રહેનારા ભાવના કારણે વિના વિલંબે કમે કરી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં કે બીજા જન્મમાં ક્રમે કરી જ્ઞાનાવરણીયાદિ કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેના પ્રકર્ષસ્વરૂપ જ અહીં શુદ્ધિનો પ્રકર્ષ છે. ભાવના પ્રકર્ષથી અશુદ્ધિનો ચિકાર હૂાસ થવાથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય-એ સમજી શકાય છે.
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy