________________
आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥३-१२॥
“પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગઆ બધા પરમાર્થથી આશય[ભાવ-આત્મપરિણામ)વિશેષ સ્વરૂપ છે, જેને ભાવ એટલે શુભ અધ્યવસાય કહેવાય છે. એ વિનાની ચેષ્ટા દ્રવ્યક્રિયા સ્વરૂપ છે; તુચ્છ-અસાર છે. આ પ્રમાણે બારમી ગાથાનો શબ્દાર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કેપૂર્વે જણાવેલા બધા જ પ્રણિધાન વગેરે ક્રિયા-વિશેષ-સ્વરૂપ જણાતા હોવા છતાં એ આશયવિશેષ; તે તે ક્રિયાના કારણે જણાતા ભાવવિશેષ સ્વરૂપ જાણવા જોઈએ, જે આત્માના પરિણામવિશેષ છે. આ ષોડશકની છઠ્ઠી ગાથામાં ધર્મના ઉપદેશના વિષયમાં પાંચ પ્રકારના શુભ આશયને જણાવ્યો છે તે શુભાશય ભાવથી અતિરિક્ત છે કે ભાવસ્વરૂપ છે?-આવી શંકાનું નિરાકરણ કરતાં ફરમાવ્યું છે કે એ પાંચે ય પ્રકારનો શુભાશય ભાવ કહેવાય છે; ભાવથી એ જુદો નથી. આવી જાતના ભાવ વિના, કાયા, વચન અને મનથી સદ્ગત એવી ઘર્મપ્રવૃત્તિસ્વરૂપ ચેષ્ટા; દ્રવ્યક્રિયા છે. તે, ભાવથી વિકલ હોવાથી પોતાના મોક્ષ વગેરે સ્વરૂપ ફળને સિદ્ધ કરતી ન હોવાના કારણે તુચ્છ અસાર છે. ભાવના[ભાવ સ્વરૂપ ઉપયોગ હોવાથી ભાવ વગરની એટલે કે ઉપયોગ વગરની દ્રવ્યક્રિયા ફળને ઉત્પન્ન કરતી ન હોવાથી તે અસાર છે-એ સ્પષ્ટ છે. ઉપયોગસહિત જે ધર્મક્રિયાઓ ફળની પ્રાપ્તિને કરાવનારી છે-એ મુમુક્ષુજનોએ નિરંતર યાદ રાખવું જોઈએ. પ્રણિધાનાદિ-શુદ્ધ ધર્માનુષ્ઠાન યોગસ્વરૂપ બનતું હોવાથી તે