SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કે બીજામાં અને વિનિયોગ કરતા ઉપકાર વિનિયોગ જ બીજાને પણ પ્રાપ્ત થાય-એવું કરવા સ્વરૂપ વિનિયોગ છે. આ રીતે પોતાને સિદ્ધ થયેલી વસ્તુનો સારી રીતે વિનિયોગ કરવાનું ત્યારે જ થાય છે કે જ્યારે બીજાને પણ એવું ફળ પ્રાપ્ત થાય. “વિશેષે કરી નિયોગ-નિયોજન એટલે કે બીજામાં આરોપણ કરવું” -આ પ્રમાણે વિનિયોગ શબ્દનો અર્થ હોવાથી વિનિયોગ, પરના ઉપકારનું કારણ છે-એ સ્પષ્ટ થાય છે. અને વિનિયોગ' ઉપર જણાવ્યા મુજબ આશયવિશેષ શુિભભાવ સ્વરૂપ હોવાથી સ્વ-ઉપકારનું પણ કારણ છે-એ સ્પષ્ટ થાય છે. આવી રીતે સૂત્રકારશ્રીએ નિરૂપણ કરીને વિનિયોગ' સ્વ-પર-ઉપકારનું કારણ છે-એ જણાવ્યું છે. મહામહોપાધ્યાયજી મહારાજાએ પણ ખૂબ જ ઓછા શબ્દોમાં વિનિયોગનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય વિનિયોગ નામનો આશયવિશેષ છે. તે વિનિયોગનામનું કાર્ય અવધ્ય છે, ક્યારે પણ નિષ્ફળ નથી બનતું. ઉત્તરોત્તર જન્મમાં તે તે ધર્મસ્થાનનો તેથી વિચ્છેદ થતો નથી. કોઈ વાર ભંગ થાય તોપણ: સોનાનો ઘડો કોઈ વાર નાશ પામે તોપણ સોનું જેમ કામ લાગે છે તેમ સોનાના ઘડાની જેમ સર્વથા ફળનો નાશ થતો નથી. તેથી તેવા વખતે તે તે અનુષ્ઠાનના સંસ્કારો ઝડપથી પ્રગટ થતા હોવાથી અનેક જન્મોની પરંપરાના ક્રમે છે તે અનુષ્ઠાનોનો વિચ્છેદ ન થવાના કારણે સિદ્ધિની ઉત્તરક્ષણમાં થનારું કાર્ય શ્રેષ્ઠ-શૈલેશી અવસ્થાસ્વરૂપ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાનમાં પરિણમે છે, જે સુંદર પરોપકાર કરવાના અદ્ભુત સામર્થ્યવાળું અને તીર્થકર પરમાત્માની વિભૂતિ સુધીના વિપાકસ્વરૂપ કાર્યમાં પણ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy