________________
છે એવા મહાત્માઓને પ્રસંગથી તેમની પાસે નિત્યવૈરવાળા જીવો પણ વૈરાદિનો ત્યાગ કરનારા બને છે, જે પારમાર્થિક સિદ્ધિને જણાવે છે.
પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્નજય-આ ત્રણ આશયની પ્રાપ્તિ થયા પછી સિદ્ધિને પ્રાપ્ત કરવાનું અઘરું નથી. તે તે ધર્માનુષ્ઠાનના વિધિ, સ્વરૂપ વગેરેનો અને તેના બાધક દોષનો જેને ખ્યાલ છે-એવા સાધકો ઉપયોગપૂર્વક સાધના કરે તો તેમના માટે નિરતિચાર સાધનાની પ્રાપ્તિ દ્વારા સિદ્ધિ મેળવવાનું ખૂબ જ સરળ છે. વર્તમાનમાં થતાં અનુષ્ઠાનો મોટા ભાગે વિધિ વગેરેનો ખ્યાલ રાખીને કરાતાં હોય એવું લાગતું નથી. સામાયિકાદિ અનુષ્ઠાનોને કરનારાઓને તેના તે તે દોષોનું જ્ઞાન ન હોય તો અને જ્ઞાન હોય તોપણ તેનું વર્જન કરવા માટે ઉપયોગ રાખવામાં ન આવે તો તે તે અનુષ્ઠાનો નિરતિચાર કઈ રીતે બને ? ચાલુ વ્યવહારમાં અર્થ અને કામની સિદ્ધિને પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને તે તે સિદ્ધિના સાધક-બાધકનો જેવો ખ્યાલ છે, તેવો ખ્યાલ ધર્માર્થી જનોને તે તે અનુષ્ઠાનો કરતી વખતે હોવો જોઈએ ને ? સાધકબાધકની ચિંતા વિનાની ધર્મપ્રવૃત્તિ સિદ્ધિનું કારણ નથી. ‘સિદ્ધિ’ નામના ચોથા આશયને પ્રાપ્ત કરવા ધર્મનું ખૂબ જ સૂક્ષ્મ રીતે વાસ્તવિક જ્ઞાન મેળવવું જોઈએ. અને ત્યાર પછી તે તે ધર્મની આરાધના કરતી વખતે એ અંગેની સાધક પ્રવૃત્તિ અને બાધક પ્રવૃત્તિનો ખૂબ જ ઉપયોગપૂર્વક ખ્યાલ રાખવો જોઈએ.. II૩-૧૦॥
**
૧૦૦