________________
વિવક્ષિત તે તે પૂિજાદિ] ધર્માનુષ્ઠાનની તાત્વિક પ્રાપ્તિને સિદ્ધિ' નામનો ચોથો આશય કહેવાય છે. એ સિદ્ધિ, પોતાના કરતાં અધિકગુણસંપન્ન આત્માઓને વિશે વિનયબહુમાનવાળી હોય છે અને હનગુણવાળા જીવોને વિશે દયા દાન વગેરે ગુણવાળી હોય છે.” આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. તેને સ્પષ્ટ રીતે સમજાવતાં ટીકાકારપરમર્ષિએ ફરમાવ્યું છે કે, “સિદ્ધિ’-એ આશયવિશેષ છે. તાત્ત્વિક રીતે તે તે ધર્મસ્થાનસ્વરૂપ અહિંસા સત્ય વગેરેની જે પ્રાપ્તિ છે તે જ વસ્તુતઃ સિદ્ધિ છે. અહિંસાદિસ્વરૂપ તે તે ધર્મસ્થાનની અવાસ્તવિક પ્રાપ્તિ “સિદ્ધિ' નથી. આ સિદ્ધિ પોતાના કરતાં અધિકગુણવાળા એવા પુરુષવિશેષમાં વિનય, વૈયાવચ્ચ અને બહુમાન વગેરેથી યુક્ત હોવી જોઈએ. સૂત્ર-અર્થ-ઉભયના
૮ અને ભાવ-માર્ગ જેમણે અસ્ત છે એવા તીર્થસ્વરૂપ ગુરુભગવંત આપણા કરતાં અધિક છે. તેમની પ્રત્યે વિનય-બહુમાનાદિ ન હોય તો ગમે તેવી ઉત્કૃષ્ટ સિદ્ધિ મળે તોપણ તે સિદ્ધિ તાત્વિક નહિ થાય. આવી જ રીતે આપણે ગમે તેટલા ગુણસંપન હોઈએ તોપણ આપણને જે ધર્મ પ્રાપ્ત થયો છે તેની અપેક્ષાએ જેઓ હીનગુણવાળા છે અથવા તો નિર્ગુણ છે એવા સામાન્ય જીવો પ્રત્યે દયા, દાન, દુઃખમાં પડેલાના દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવના વગેરે ભાવના હોવી જોઈએ અને આપણી અપેક્ષાએ જેઓ અધિક કે હીન નથી એવા મધ્યમ જીવો પ્રત્યે ઉપકાર કરવાની ભાવના હોવી જોઈએ. અન્યથા સિદ્ધિ અતાત્ત્વિક થશે. આવી સિદ્ધિના પુણ્યપ્રભાવે અહિંસાદિ-ધર્મ તાત્ત્વિકરૂપે સિદ્ધ થયો