SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - (૨૮) ચેતનરાય મારા (સમતાના) મહેલમાં આવ્યા હદય મંદિરમાં) પઠા. તેથી મારા અંતરમાં અતિ આનંદ ઉતરાયે અર્ને પ્રસન્ન મુદ્રાથી મેં પ્રીતમને ગાઢ આલિંગન આપ્યું. ૧. પછી સહજ રવભાવિક શુભાવરૂપ જળવડે પ્રેમ સહિત નવરાવ્યા અને અપાર ગુરૂપી સુખ થાળ ભરી પીરસીને મેં મહારા સ્વામીનાથને માર હાથે જમાડ્યા. ત્યારબાદ સુવાસિત અનુભવ રસમય પાનબીડાં સ્વામીજીને ખવરાવ્યા. એમ સમ્યમ્ બોધ અને આચરણારૂપી દંપતી (પતિ-પત્ની) ભેગા મળી (સુયોગ પામી) ચથેચ્છ સુખશાન્તિરૂપ મવંછિતને પામ્યા. ૨-૩. સાર બે–ચેતનરાયને ધર્મરાજાની બહાલી પુત્રી સમતા સાથે અનાદિસિદ્ધ સંબંધ છે, એટલે સમતા એજ ચેતનની ખરી પતિવ્રતા હિતસ્વિની અસલ સ્ત્રી છે, છતાં ધર્મના વિરોધી અને બહરૂપી એવા મેની પુત્રી કુમતા સાથે પણ ચેતનની સુતાને લાભ લઈ અનાદિ કાળથે સંબંધ જોડાણ હતું. વેરયાની જેવા વિવિધ રંગરાગને કરનારી ને વધારનારી કુમતાના ફદમાં તે એ તે ફસી ગયું હતું કે એક પળ માત્ર પણ તેમાંથી છુટી સમતાની સીમું પણ જોઈ શકો નહેતે, તે પછી તે પરમ પવિત્ર દેવીને ઉચિત સત્કાર તે કરેજ કયાંથી? મુમતાના સંગથી તેને અનેક વિપદા વેઠવી પડે છે અને તે બંધનથી અનેક પ્રકારના કડવા અનુભવે મળે છે, તેથી છેવટે ચેતનરાયની આંખ (જ્ઞાનચક્ષુ) ઉઘડે છે, એટલે પરમ પવિત્ર પતિવ્રતા સમતા સ્ત્રીને આજ સુધી મેહમુગ્ધ બની અનાદર કરવા બદલ તેને ભારે પસ્તા થાય છે અને હવે પછી આખી જીંદગી પર્યત કુમતાને સંગ નહિ * *
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy