________________
(ર૭) લટતા રહીને શરીરને કષ્ટ ઉપજાવે છે, કેઈ સૂર્ય કે અગ્નિને તાપ સહે છે, પરંતુ ચિદાનંદજી જેવા જ્ઞાની મહાત્માઓ કહે છે કે અલખ આત્માને ઓળખ્યા પિછાન્યા વગર એ બધું લેખે આવતું નથી-ફેગટ જાય છે. ૩-૪. - સાર બે-એક અંતરજામી આત્માને ઓળખી તેમાં ખરી શ્રદ્ધા-આસ્થા ચુંટાડવાથી યથાશક્તિ કરાતી સઘળી ધર્મકરણ લેખે થાય છે. તેને યથાર્થ ઓળખવા માટે એવા જ્ઞાની ગુરૂને શરણે જઈ અતિ નમ્રભાવે તેમની ઉપાસના કરવી ઘટે છે. જેઓ એવા જ્ઞાનીગુરૂને સંગ કરી અંતરાત્મપણું મેળવતા નથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. અજ્ઞાનકષ્ટથી કલ્યાણ સિદ્ધિ થતી નથી.
પદ બારમું.
(રાગ ઉપરનો) આજ સખી મેંરે વાલમા, નિજ મંદિર આયે; અતિ આનંદ હિયે ધરી, હસી કંઠ લગાયે. ૧ સહજ સ્વભાવળે કરી, રૂચિધર નવરાયે; થાળ ભરી ગુણસુખડી, નિજ હાથ જિમા. ૨ સુરભી અનુભવ રસ ભરી, બીડાં ખવરાયે; ચિદાનંદ મિલ દપતી, માવછિત પા. ૩ - ' વ્યાખ્યા–સોહાગણ (પણ ઘણા કાળથી પતિના વિરહથી પીડાતી ) સમતા પિતાની વહાલી સખી સુમતિને હર્ષદાયક સમાચાર સંભળાવતાં કહે છે કે હે સખી! આજે મારા પ્રીતમ