SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) જેમ પેાપટને પકડી લેવા પારખી લેાકા એવુ એક પ્રકારનું યંત્ર ગોઠવે છે કે તેના પર પોપટ બેસતાં તે ચક્કર ચક્કર ફરવા માંડે છે, એટલે એ અજ્ઞાન પેપટ તેમાંથી છટકી ઉડી જવાને બદલે ભ્રમવશ પેાતાને પકડાઇ ગયેલેા-પાશમાં આવી પડેલા માની દુઃખી થાય છે, તેમ મિથ્યાત્વ અજ્ઞાનવશ નવા નવા ક– રાગ વહારી લઈ તુ દુઃખી થાય છે. ૩. વળી જેમ માંકડા (વાંદર) કાઈ એક સાંકડા મોઢાના ધાન્યના વાસણમાંથી ધાન્ય કાઢીને ખાવા માટે તેમાં અજ્ઞાનવશ હાથ નાખે છે અને ધાન્યની મુઠ્ઠી ભરી બહાર કાઢવા મથે છે, પણ તે કેમે કરી બહાર નીકળી શક્તી નથી, એટલે ચીચીઆરીએ પાડતા દુ:ખી થયા કરે છે, તેમ મુગ્ધ જીવા મિથ્યાત્વયેાગે જડ વસ્તુ સાથે ભળી જઇ, તદ્રુપ થઇ, તેમાં મમત્વ ખાંધી, અવનવા ક્રમ બંધ કરી, પરતંત્ર બની, હાથે કરીને દુઃખી થયા કરે છે. આવી ગૂઢ અજ્ઞાનદશાવશ મુગ્ધ થવા કર્ધક ન કરવાના કામેા કરે છે અને સ્વચ્છ ંદતાપ પ્રમાદમદિરાનુ યથેચ્છ પાન કરી દુ:ખી થયા કરે છે. ૪. તેથીજ પરમ ઉપગારી ચિદાનંદજી જેવા સમ્યગ્ જ્ઞાન અને ચારિત્ર-કરણીમાં રસિક ગુરૂમહારાજ આવા મુગ્ધ-મૂદ્ર જીવને સમજાવે છે કે--વિષય, કષાય, નિદ્રા, વિકથાદિક પ્રમાદાચરણ તજી–માહદશા દૂર કરી, મન ઇન્દ્રિયાક્રિકને કાબુમાં રાખી, સવરના ભેખ ધારણ કરશેા ને સાચે રસ્તે ચાલવા પ્રયત્ન કરશેા, તાજ દુ:ખ દુર્ગતિકારક વિભાવ-વિષને વમી અમૃત સમાન સુખને-શીતળતાને આપનારી ચંદ્રસ્વભાવની રેખા આત્માની સહેજ–સ્વભાવિક સ્થિતિને પામી શકશે. ૫.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy