________________
પ્રસ્તાવનામાં વિશેષ લખવાની આવશ્યકતા નહીં જણાતાં માં બાબત ટુંકામાંજ લખીને સમાપ્ત કરવામાં આવી છે. પ્રાંત ગુરૂ મહારાજશ્રી કપૂરવિજયજીને આભાર માનવામાં આવે છે. કારણ કે આ કાર્યના ઉત્પાદક, પ્રેરક, પોષક ને પરિણામ પર્યત પહોંચાડનાર તેઓ જ છે. તેઓની હુંફ પ્રેરણા પ્રયાસ વિગેરેને લઈને જ આ કાર્ય બનેલું છે. ચિદાનંદજી ઉ કપૂરચંદજી તે પૂરા અધ્યાત્મી ને આત્મશેધક મહાપુરૂષ હતા પરંતુ આ તેમની નારી વ્યક્તિમાં પણ કાંઈક તેની વાનકી દેખાય છે. હાલના મુનિવગ તરફ દષ્ટિ કરતાં અહીં કાંઈક નજર ઠરે છે. એ ખરા સદ્દગુણાનુરાગી છે, આત્મનિદાન કરનારા છે, શાંત સ્વભાવી છે, ચારિત્રના ખપી છે, શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થયેજ આત્માની કૃતાર્થતા માનનારા છે. એમના અતિશયોક્તિવાળા વખાણ લખવાની ઈચ્છા નથી, પરંતુ એમની વર્તમાન સ્થિતિની ઝાંખી કરાવવા માટે જ આટલું લખવા મન પ્રેરાયું છે.
આ બહોતેરી મૂળ ને તેના અર્થ વાંચી ધર્મબંધુએ તેને સાર ગ્રહણ કરે, તેમજ યથાશક્તિ તેને અમલમાં મૂકવા તત્પર શાએ એટલું ઈચ્છી, પરમાત્મા પાસે તેવી પ્રાર્થના કરી, આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. પરમાત્મા એ શુભેચ્છા પૂર્ણ કરશે એવી ખાત્રી છે.
તથાસ્તુ. આશ્વિન શુદિ ૧ ] કુંવરજી આણંદજી, . સં. ૧૯૮૭ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને
ભાવનેગર. ! બહુ વર્ષને લઘુસેવક