________________
ચાઓ પણ આ બુકના પાછળના ભાગમાં દાખલ કરેલા છે. આ સવૈયા પૈકી કેટલાક સાધારણ મતિથી સમજાય તેવા છે, પરંતુ કેટલાક સમજવા મુશ્કેલ પડે તેવા પણ છે, તે તેને અર્થ કેાઈ સુજ્ઞ મનુષ્ય-ગૃહસ્થ કે મુનિરાજ પાસે જઈ સમજવાને ખ૫ કરે. એ સવૈયા ખાસ કઠે કરવા લાયક છે, કારણકે બહુજ અસરકારક શબ્દરચનાવાળા છે.
આ બહેતરીના લખેલા અર્થના સંબંધમાં ખાસ વિનંતિ કરવાની કે–આ વિષયમાં મારે પ્રથમ પ્રયાસ હેવાથી એની અંદર ઘણી જગ્યાએ ઓળનાઓ રહી હશે. વળી તેમાં કોઇ કઈ પદ હરીઆળી જેવાં છે, કઈ કઈ પદ ઉપનય ઉતારવા જેવાં છે, તેમાં જે કે કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યું છે, છતાં તે બરાબર લખાયેલા છે એવું આત્મસાક્ષાથી કહે શકાતું નથી. કારણકે કર્તાના અંતરને ભાવ એ શબ્દરચનામાં શું છે? તે સમજવાનું મારી જેવા અજ્ઞ બાળનું ગજું ગણી શકાય નહીં. તે પણ બે ચાર િયતનિઘં એ સૂત્રને અનુસરીને પ્રયત્ન કરવામાં આવ્યું છે. તેમાં પણ અતર્ગત સગુણાનુરાગી મુનિરાજશ્રીની સહાયેજ કામ કર્યું છે. વળી એમ પણ વિચાર રાખવામાં આવ્યું છે કે એક વખત માર્ગ દર્શકપણે આ કામ થયું હશે તે હવે પછી બીજા કેઈ સુજ્ઞ બંધુ કે મુનિરાજ તેને વધારે કેળવીને વધારે સુંદર રૂપમાં જૈન સમાજ પાસે રજુ કરશે.
આ ૭૨ પદેમાં જુદા જુદા ૧૨ સ્તવને છે, ૧ પષણ પર્વની સ્તુતિ છે ને ૧ ગુરૂ પાસે ગાવાની ગહુંબી છે. સ્તવને