________________
(૩૨) થઈ શકે છે. - શ્રી મોતીચંદ ગીરધર કાપડીઆએ યોગાષ્ટકમ્ ઉપર લેખમાં લખ્યું છે કે “મોક્ષસુખ સાથે જીવને જોડી આપે તેને યોગ કહેવાય. એવી યોગની વ્યાખ્યા બતાવી છે તે બહુ મનન કરવા યોગ્ય છે. પરંપરા સાધ્ય-અંતિમ લક્ષસ્થાન મોક્ષ હોવાથી તેને જોડી આપનારને યોગ કહેવામાં આવે છે, તે યોગની ઈતિ કર્તવ્યતા સૂચવે છે. આ વ્યાખ્યાને મળતી વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિએ યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં આપી છે તે પણ વિચારવા યોગ્ય છે. તેઓશ્રી કહે છે કે “અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવામાં આવે છે અને તે ચૌદમે ગુણઠાણે હોવાથી મોક્ષની સાથે જોડી દેનાર છે. સર્વ સન્યાસ એ તેનું સ્વરૂપ છે.' મોતીચંદભાઈએ યોગ ઉપર ખૂબ જ સુંદર સચોટ પ્રકાશ પાથરેલ છે.
શ્રી ચિદાનંદજીએ તો ધ્યાન અને યોગ ઉપર ઘણું ઘણું લખ્યું છે તેનો આ ગ્રંથ વાંચનારને જરૂર અનુભવ થશે.
શ્રી ચિદાનંદજીકૃત સર્વ સંગ્રહના ૧૩૨ પાનામાં માત્ર આઠ કાવ્યો છે. આ આઠ જ કાવ્યોમાં પૂજ્યશ્રીએ જ્ઞાનરૂપી સાગરનું મંથન કરીને અપૂર્વ અને અદ્ભુત નવનિત ઠાલવી દીધું છે. એમના એકપણ કાવ્ય ઉપર તો શું પણ એક લીંટી ઉપરનું વિવેચન કરવાની મારી તો શક્તિ જ નથી. એટલે કાંઈપણ વિવેચન વગર થોડાક નમના રજુ કરવાની ઈચ્છાથી તૃપ્તિ અનુભવું છું. સવૈયા – ધન અરૂ ધામ સહુ પડ્યો હિ રહેનો નર,
ધાર કે ધરામેં તું તો ખાલી હાથ જાવેગો; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ હોય કે જમાઈ કોઈ દુસરો હિ ખાવેગો. કુડ અ૩ કપટ કરી પાપબંધ કીનો તાતે, ઘોર નરકાદિ દુઃખ તેરો પ્રાણી પાવેગો. પુન્ય વિના દુસરો ન હોયગો સખાઈ તવ,
હાથ મલમલ માખી જિમ પસતાવેગો. અહા ! કેવું સુંદર છે પદલાલિત્ય અને કેવું છે શબ્દ લાલિત્ય ?
આપકું આપ કરે ઉપદેશ ક્યું : આપણું આપ સુમારગ આણે