SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) ઈદ્રિય સુખમેં જૌ લોં એ મન, વક્ર તુરંગ જેમ ધાવે રે. આ પદમાં હાથી કામ વાસનામાં, મત્સ્ય રસનામાં લુબ્ધ બનવાથી ભ્રમર સુગંધમાં લપટાવાથી, પતંગિયું રૂપમાં, મૃગ શ્રોતેંદ્રિયને વશ થવાથી પ્રાણ ગુમાવે છે. એમ એક એક જીવ ઈદ્રિયોમાં આસક્ત થતાં નાનાવિધ દુઃખો પામે છે. તો હે માનવી! તું તો પાંચે પાંચ ઈદ્રિયોમાં રાગાંધ બન્યો છે, મોહાંધ બન્યો છે તો તારી કેવી દશા થશે તે વિચાર !! તે માટે કહે છે કે , પંચ પ્રબલ વર્તે નિત્ય જાકે, તાકું કહા ક્યું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમાં રહીએ રે. ધ્યાન અંગેનું પદ ૫૦મું કેવું અદ્ભુત છે તે જુઓ : આ તમ ધ્યાન સમાન જગતમેં, સાધન નહિ કો આન જગતમેં આતમ ધ્યાન સમાન, ઔર નહિ કોઈ ધ્યાન. આ પદમાં કહે છે કે ધ્યાન ત્રણ પ્રકારનું છે. ૧) રૂપાતીત ૨) રૂપસ્થ અને ૩) પદ0. પિંડસ્થ ધ્યાન શી રીતે કરવું ? આસન - મુદ્રા, અજપાજાપ ‘સોહં તેને સંભારવો - અને જાપ કરવો. એને માટે પ્રાણવાયુ, અપાનવાયુ, સમાનવાપુ, ઉદાનવાયુ, વ્યાનવાયુ. એ પાંચ પ્રકારના વાયુ. તેને રેચક, પુરક, કુંભક અને શાંતિક ઈત્યાર્દિકની ક્રિયા કેવી રીતે કરવી ઈત્યાદિ બતાવી છેવટે ચિદાનંદ શુભ ધ્યાન જોગજન, પાવત પદ નિરવાણ.” બતાવી ધ્યાનનું સ્વરૂપ સુંદર રીતે બતાવેલ છે. ઉપાધ્યાયજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહ્યું છે કે :તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી તેહથી રે જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોય પછે જી. દેખીરે અદ્ભુત તાહરૂ રૂપ અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; , તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરેછે. આવી રીતે ધ્યેય સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થતાં સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રનો અદ્ભુત લાભ પામી આત્મા અંતે અજર અમર પદનો ભોક્તા
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy