________________
(૩૦)
ચિત્તડું હમારૂં ચોરી લીધું' દેવચંદ્રજી કૃત ઋષભ જિણંદશું પ્રીતડી કીમ કીજે હો કહો ચતુર વિચાર' તથા પ.પૂ. મોહનસૂરીજીનું (લટકાળા) પ્રીતલડી બંધાણી ૨ે અજિત જીણંદ શું પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.' ઈત્યાદી પ્રભુ સાથે પ્રીત બાંધવાના ઉચ્ચભાવ ભર્યા સ્તવનો પ્રેમના પ્રતિક સમા છે એવી જ રીતે શ્રી ચિદાનંદજીના પદોમાં આત્માને પતિની ઉપમા અને સુમતિ તથા કુમતિને પત્નીઓની ઉપમાથી નવાજી અનેરો રંગ જમાવેલ છે. પૂજ્ય ચિદાનંદજીના સ્તવનોમાં શ્રીનેમિનાથજીનું સ્તવન ‘પરમાતમ પૂરણ
કળા’
પરમાતમ પૂરણ કળા, પૂણ ગુણ ો પૂરણ જન આશ; પૂરણ દ્રષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હો અમચી અરદાસ.
આ સ્તવનની ઉપર સુંદર વિવેચન કરીને આ પુસ્તકના પદ ૬૨ માં અર્થો સાથે આપેલ છે એમાં રહેલા ભાવનું શું વર્ણન કરૂં ? ટુંકામાં કહું તો જે જાણે તે માણે' એ ન્યાયે આ સ્તવન પૂર્ણતા વિષેની અદ્ભુત રચના છે. વિદ્વદવર્ય શ્રી મોતીચંદ ગીરધર કાપડીઆએ આ સ્તવન ઉપર ઘણું જ વિસ્તારથી અભૂતપૂર્વ વિવેચન કરી શ્રી જૈન ધર્મ પ્રકાશના ઘણા અંકો સુધી લેખ સ્વરૂપે આપેલ છે. પણ અત્યારે પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. કારણ કે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા કાર્યકર્તાઓ અને પૈસાના અભાવે બંધ પડી છે. આ સ્તવનની હલક, હૃદયના તાર ને ઝણઝણાવી નાખે છે. હૈયુ નાચી ઊઠે છે. આ સ્તવન અંતરના દ્વાર ઉઘાડી નાખે એવી એની અદ્ભુત રચના છે. એવી જ રીતે પદોની બોતેરીના એક એક પદના શબ્દો.ચેતનાને જગાડી નાખે છે.
“કાલકાલ તું ક્યા કરે મૂરખ, નાહી ભરૂંસા પલ એક ઘડી. ગાફિલ છિનભર નાંહી રહો તુમ, શિરપર ઘુમે તેરે કાલ અરી.’ અધ્યાત્મવેદી શ્રી ચિદાનંદજી મહારાજે આપણી અનિગ્રહીત ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષય વાસનાને હઠાવવા એક લલિત પદ વડે કેવો સુંદર બોધ આપેલો છે ?
વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગ્યો રે. તપ-જપ સંમ દાનાદિ સહુ, ગિણત એક ન આવે રે;