________________
(૨૯)
કર્મ દોષોનો નાશ કર્યા વિના તે તે ગુણો પ્રગટ ભાવે થતા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાને વૈરાગ્ય ભાવના, આત્મભાવના, સમતા આદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ, આત્માના વૈરાગ્ય આદિ ગુણો ખીલવવા જોઈએ. માટે તે તે ગુણોનું સ્વરૂપ વારંવાર વાંચવુ, વિચારવું, ગાવું, મનન કરવું અને ધ્યાન ધરવું જોવે. શ્રી ચિદાનંદજીના રચેલા પદો, સ્તવનો, સરૈયા, પુદ્ગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયા છત્રીશી, પરમાત્મ છત્રીશી, દુહા, સ્વરોદય જ્ઞાન. ઈત્યાદી વિશાળ સાહિત્યનો આ રીતે ઉપયોગ કરવામાં આવે અને તેને અનુસરવાના પ્રયાસો-પુરૂષાર્થ કરવામાં આવે તો આપણા આત્માને પરમપદ સુધી પહોંચતા વાર ન લાગે.
મારે જરા દુઃખ સાથે કહેવું પડે છે કે આધ્યાત્મિક સાહિત્યમાં રત્નસમા આ સાહિત્યના પ્રચાર અંગે જે કાંઈ કરવું જોવે એટલું થયું નથી. તે તરફ ઉપેક્ષા સેવાણી છે. જૈન સાક્ષરો હજુ પણ ઉપેક્ષા છોડીને તેના તરફ પૂરતું લક્ષ આપશે તો ગુજરાતી સાહિત્યમાં નવી જ ચેતના લાવી શકશે એટલું જ નહીં પણ સમસ્ત સાહિત્ય જગતમાં વિશિષ્ટ પ્રકાશ પાથરી શકશે. શ્રી ચિદાનંદજીએ સાગરને ગાગરમાં સમાવી દીધો છે. એમની રચનામાં કાવ્યોમાં તો શું પદેપદમાં અને અક્ષરેઅક્ષરમાં જે રહસ્યો સમાવ્યા છે તે એમના આત્મમંથનનું નવનીત છે. એમના અંતરમાંથી નીકળેલી વાણીની જ્ઞાનગંગા મુમુક્ષુ આત્માઓને બહુ અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે પૂર્ણતા પ્રાપ્ત કરવા, પરમાત્મ પદ સુધી પહોંચવા, અપૂર્વ અદ્ભુત સાધન બનવાની ખાત્રીજ કરી આપશે.
મહાન યોગીરાજશ્રી ચિદાનંદજીની કાવ્ય રચના અધ્યાત્મથી ભરપૂર તો છે જ પણ તેની સાથે રસયુક્ત બનાવી પ્રેમથી સભર બનાવેલ છે. ઉપમાઅલંકાર-તર્ક-કલ્પના સાથે સુંદર રાગ-રાગણી સર્વ વાતે પરિપૂર્ણ બનાવેલ છે. મહાન યોગીરાજશ્રી આનંદધનજીએ શ્રી રૂષભજીનેશ્વરના સ્તવનમાં ‘રૂષભ જીનેશ્વર પ્રીતમ માહરો ઔર ન ચાહુ કંત, રીઝ્યો સાહેબ સંગ ન પિરહરે · ભાંગે સાદી અનંત’માં સાચી પ્રીત સગાઈ કોને કહેવાય પ્રીતસગાઈ નિરૂપાધિક કહીરે સોપાધિક ધન ખોય' ઈત્યાદી તથા પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજના સ્તવનો જેવા કે સ્વામી તમે કાઈ કામણ કીધું,