________________
(૨૮).
શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ઘાટકોપરમાં ચાતુમાસ બીરાજમાન હતા. જેઓ મારા આત્મકલ્યાણ માટે મારા ઉપર અત્યંત હાલ અને લાગણી ધરાવતા આવ્યા છે. મારા પરમ ઉપકારી છે. શાસનના હિતના કાર્યો માટે અવાર નવાર માર્ગદર્શન આપી પ્રેરણા આપતા જ રહ્યા છે. તેઓશ્રીને વંદન કરવા હું ગએલો અને અત્યંત ભાવપૂર્વક મેં વિનંતી કરી કે “સાહેબ, આ અપૂર્વ સુંદર ગ્રંથ અત્યારે અલભ્ય થઈ ગયો છે. આ ગ્રંથ પુનઃમુદ્રણ કરાવવાની ખૂબ જ જરૂર છે. આપ આ કાર્ય હાથમાં લ્યો અને જૈન શાસનના અમૂલ્ય ખજાનારૂપ, રત્નની ખાણ જેવા યોગીરાજ શ્રી ચિદાનંદજીના આત્માની ભાવસરિતા જેવા આધ્યાત્મિક સાહિત્યને બચાવી લ્યો મારી ઉમ્મર અત્યારે ૮૭ સત્યાસી વરસની થઈ છે. હું જીવતો છું ત્યાં સુધીમાં આ કાર્ય ગમેતેમ કરીને મારે પુરું કરવું છે. ઈત્યાદી કરગરતા આંખમાં આંસુ સાથે વાત કરી અને તુરતજ પૂજ્ય મહારાજશ્રીએ મારી વિનંતીનો સ્વીકાર કર્યો. અને આ પુસ્તક પુનમુદ્રણ કરવાની આજ્ઞા આપી. એમના આશિવદિથી આ પુસ્તક
શ્રી જૈન શાસન આરાધક ટ્રસ્ટ'ના ઉપક્રમે છપાવવાનું નક્કી થયું. મારા મનની અને જીવનની સર્વે મનોકામના, અંતરની ભાવના તેઓશ્રીએ પૂર્ણ કરી તે માટે પૂજ્ય ગુરૂદેવનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો જ છે. અને માગુ છું કે ભવોભવ આવા જ ઉપકાર મારા ઉપર કરતા રહી મને આપની સાથે રાખી વહેલામાં વહેલી તકે મુક્તિમાં લઈ જજો.' આ ગ્રંથ હૃદયના તારોને ઝણઝણાવી નાખનારો છે. મનને શાંતિ દેનારી છે. ચિત્તની શુદ્ધિ કરનારો છે, પ્રસન્નતાને પ્રગટ કરનારો મુક્તિનો માર્ગદર્શક છે. આ પુસ્તક પ્રગટ કરતાં મારા આનંદની અવધી નથી. ભવાંતરમાં ભવોભવ આ ગ્રંથનું જ્ઞાન મને મળતું રહે સાથે જ રહે તેવી ભાવના સાથે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ મને તેમજ આ પુસ્તકનો લાભ લેનાર સર્વ આત્માઓને તથા જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્માને શુદ્ધ અંતરના ભાવથી કરું છું.
યોગીરાજશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ લખ્યું છે કે “જગતમાં જીવનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્માની જ્ઞાનાદિ ગુણો વડે ઉન્નતિ કરવી. આત્મા, કાયા, મન એ ત્રણ વસ્તુને પરિપૂર્ણ સમજવાથી આત્માની શુદ્ધ દશા સમજાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ અનંત ગુણમય આત્મા છે. પણ...