________________
(૨૭)
રસીઆ આત્માઓ માટે ઉપકારક બનશે. આવા કોઈ મહાનુભાવ કે સાધુ મુનિરાજ કરી આપે તો યોગ્ય કરવાની ભાવના છે. આધ્યાત્મિક સાહિત્યમાં રત્નોની ખાણ સમાન આ ગ્રંથ ગુજરાતી-હિન્દી ભાષામાં હોવાથી લોકભોગ્ય, સરલ, સચોટ, અસરકારક તો છે જ. ‘કાવ્ય રસાત્મક વાક્ય' જે વાક્યોપદોનો અને અક્ષરોનો આત્મા રસથી ભરેલો હોય તેનું નામ તે કાવ્ય. એવી વ્યાખ્યા અનુસાર આ ગ્રંથના કાવ્યો એવા તો રસથી ભરપૂર છે કે વાંચનાર યા શ્રોતાગણને રસ તરબોળ કરી મૂકે છે. ભલભલા પંડીતો સંત મહાત્માઓ સાહિત્યકારો વિદ્વાનો શ્રી ચિદાનંદજીના આ કાવ્ય સંગ્રહને જોતાં જ આશ્ચર્ય સાથે આનંદ-દીવ્ય આનંદનો અનુભવ કરશે અને આવી અદ્ભુત રચના કરનારા મહાત્મા યોગીરાજશ્રીના ચરણમાં મસ્તક ઝુકી પડશે. સંગીતકારો ગાયકોના કંઠમાંથી આ કાવ્ય સરિતાના ખળખળ કરતા અમૃત રસના ઝરણા ગાનાર અને શ્રવણ કરનારા શ્રોતાજનોને મંત્રમુગ્ધ બનાવી આત્માનંદનો અનુભવ કરાવશે. યોગીરાજ શ્રી આનંદધનજીએ કીધું છે કે “ચિત્ત પ્રસન્ને પુજન ફ્ળ કહ્યું, પુજા અખંડીત એહ' ખરેખર મહાકવિશ્રી ચિદાનંદજીના કાવ્યોમાં ચિત્તની પ્રસન્નતા કરવાની કોઈ અનેરી શક્તિ ભરી છે.
લગભગ પાંસઠ વરસ અગાઉ જ્યારે આ પુસ્તક પ્રગટ થયું અને મારા વાંચવામાં આવ્યું ત્યારથી જ મારા આનંદનો પાર જ નહોતો. વારંવાર વાંચતો અને કોઈ અનેરા સુખ-શાંતિનો અનુભવ થતો. આ કાવ્યો ઉપર અપાર પ્રેમ જાગૃત થતો, અનેક વખત જિન મંદીરમાં કે એકાંતમાં અને કોઈવાર મિત્રોની વચ્ચે વાંચી ઉલ્હાસ સાથે જ્ઞાનગોષ્ટિનો આનંદ પામતા.
આ પુસ્તકની તે વખતમાં માત્ર ૧૦૦૦ કોપી છપાએલી તે તો ક્યારનીએ ખપી ગએલી અથવા ભેટમાં ગએલી. લાંબા વખતે પુસ્તક મળવું દુર્લભ બની ગયું. અલભ્ય બની ગયું. મેં બે કોપી-નકલ સાચવી રાખેલી અને પુનઃમુદ્રણ કરવાની ઉત્કટ ભાવના હતી. પરંતુ મારા જ્ઞાનાંતરાયના યોગે કોઈ રીતે યોગ આવતો ન હતો. અનેક ઠેકાણે પ્રયત્ન કરેલા પણ તે સફળ થતા જ નહીં. અંતરમાં વેદના થતી કે મારી હયાતી સુધીમાં શું આ કામ પૂરું નહિં થાય એવી શંકા થતી. છેવટે પ્રભુકૃપાથી અંતરાય કર્મનો અંત આવ્યો અને તૂટ્યો. સંવત ૨૦૫૦ના ચાતુર્માસ દરમ્યાન પરમ પૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮