________________
(૨૫) પુસ્તક અંગે - બે બોલ
લે. રાયચંદ મગનલાલ શાહ આ પુસ્તકમાં મહાન યોગીરાજ શ્રી ચિદાનંદજી ઉર્ફે કપુરવિજયજ મહારાજશ્રીએ દોઢસો કરતાં વધુ વરસો અગાઉ રચેલ, અતંરમાંથી કુદરતી રીતે સ્કુરાયમાન થએલ, આગમ શાસ્ત્રોના પરમ જ્ઞાતા એ વીતરાગની વાણીના દોહન રૂપે રચેલ “ચિદાનંદ બહોંતેરી' તેમજ તેઓના અન્ય કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકના બે ભાગ જુદા જુદા છપાએલા હતા તે બને પુસ્તકોને આ પુસ્તકમાં એકત્રીત કરી એકજ પુસ્તક રૂપે આવરી લેવામાં આવ્યા છે. બન્ને વિભાગની વચ્ચે ભાગ ૨ જો કરીને જુદા પાડવામાં આવ્યા છે જેથી વાચક વર્ગને બને ભાગોનો લાભ એક સાથે અને જુદો એમ મળી શકે. - પ્રથમ ભાગમાં શ્રી ચિદાનંદજી કૃત બહોંતેરી એટલે બહોતેર પદો છે. જે અર્થ અને ભાવાર્થ સાથે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપેલ છે અને ભાગ બીજામાં “શ્રી ચિદાનંદજી કત સર્વ સંગ્રહ’ હિન્દી લીપીમાંજ પ્રગટ કરવામાં આવેલ છે. જેના અર્થ કે ભાવાર્થ કરેલા ન હોવાથી મૂળ સ્વરૂપે જ આપ્યા છે. જો કે કેટલાક અઘરા શબ્દોના અર્થોનું ટાંચન નીચેના ભાગમાં આપવામાં આવ્યું છે.
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ વિ. સં. ૧૯૯૩ના વૈશાખ શુદિ ૧ ના રોજ ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સદ્ગણાનુરાગી પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજશ્રી ૧૦૮ શ્રી કપુરવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી શ્રેષ્ટિવર્ય પરમશ્રાવક શેઠશ્રી કુંવરજી આણંદજીએ પ્રકાશિક કરેલ હતી.
વળી પ્રથમ ભાગ એટલે “શ્રી ચિદાનંદ બહોંતેરી' ના ૭૨ બહોતેર પદોના અર્થ ભાવાર્થ શ્રી કુંવરજીભાઈ આણંદજીએ કર્યા છે અને પ. પૂ મુનિરાજશ્રી કપુરવિજયજીએ તેને સંપૂર્ણ અનુમતી આપી છે. શ્રી કુંવરજીભાઈ જૈન ધર્મના પ્રખર અભ્યાસી વિદ્વાન હતા. એવું જ એમનું એક આદર્શ - પવિત્ર શુદ્ધ શ્રાવક જીવન પણ હતું. નેવું વરસની દીર્ધ જીવનયાત્રામાં સમગ્ર જીવન જ્ઞાન-ધ્યાન અને ધર્મમય જીવન જીવી મહાન આદર્શ દર્શાવી ગયા છે. આવા ઉત્તમ પુરૂષે કરેલા અર્થ-ભાવાર્થ સંપૂર્ણ ખાત્રીદાયક બન્યા છે.