________________
'
(૧૯) આત્માના શુદ્ધ સ્વરૂપને રચયિતા શ્રીએ જણાવતા કહ્યું છે કે જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે નિર્મળ જ્યોતરૂપે પ્રગટે છે અને સર્વ પાપથી મુક્ત બને છે. જે રીતે કોઈ ત્રિભુવનપતિના મુગટ પર મણિની શોભા અપરંપાર હોય છે, એ રીતે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થતો આત્મા શિરોમણિમુગટમણિ સમાન હોય છે. આવા આત્માની રમણીયતા એવી તો પવિત્ર દીસે છે કે આઠ કમની નીરા થતા તે શુદ્ધ સો ટચના સોના જેવો નિર્મળ બની જાય છે.
‘રયા છત્રીશી' માં કવિશ્રીએ શાસ્ત્રોના આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દશાવ્યું છે. જેઓ એમ માને છે કે જિન પૂજા કરવાથી હિંસા થાય, તેઓની માન્યતાઓને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે.
પૂજા કરતાં પ્રથમ સ્નાન કરવાથી તેમજ પુષ્પો ચડાવવાથી ઉપરથી જે હિંસા માલુમ પડે છે. તે ખરેખર હિંસા નથી, કારણ કે તે જીવો તરફ દયાની દ્રષ્ટિથી અને પૂર્ણ દયાની જ લાગણીથી આ થાય છે. આ દ્રવ્યહિંસાનો – સ્વરૂપ હિંસાનો કર્મબંધ આત્માના પ્રદેશ પરથી સરળતાથી ખરી જાય છે.
શ્રી પરમાત્મા છત્રીશી' રચનામાં રચયિતા શ્રીએ ૩૬ દુહાની રચના કરી છે. જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે. તેઓશ્રી જણાવે છે : -
परमातम एह ब्रह्म हे, परम ज्योति जगदीश; : परसु भिन्न निहारीए, जोइ अलख सोइ इश. ८
માટે હે આત્મા ! તું રાગ-દ્વેષને તજીને, આ ભવબંધનોમાંથી મુક્ત થવાને અને પરમ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પરમાત્માનું ધ્યાન કર.' આવો ભાવ રજૂ કરવામાં આવ્યો છે. ' આ પુસ્તકમાં કવિશ્રીએ “સ્વરોદયજ્ઞાન'માં કુલ ૪૫૩ પદોની વિશાળ પદરચના કરીને સાહિત્ય-સાધનાનો સુંદર પરિચય કરાવ્યો છે. આ રચના ઘણી ગૂઢ અને માર્મિક છે. તેમાં જણાવ્યું છે કે આ જગતમાં કુદરતે મનુષ્ય જાતિને વિશેષજ્ઞાન આપ્યું છે, અને તેથી જ ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત એ સ્વરોદય જ્ઞાન છે. તેનાથી પ્રાપ્ત થતી વિદ્યાનો ન્યાય માર્ગે ઉપયોગ કરવાનું પણ સૂચન છે. આ વિદ્યાના