SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) છે એ બાબતનો નિરધાર કરી તે પ્રમાણે વર્તન કરી સાધ્યને મેળવ.’ આ સંદર્ભમાં શ્રી ચિદાનંદજી વિષે વિદ્વાન પ્રવચક શ્રી કુંવરજીભાઈ આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવતા કહે છે : તેઓ એક આદર્શ મહાત્મા હતા... એમની કૃતિ જ એમની વૃત્તિ અને વર્તન સૂચવે છે.' આ પુસ્તકના અંતે મૂકેલા સવૈયાઓ ઉપરાંત ‘સર્વસંગ્રહ’ ભાગ-૨માં અધ્યાત્મ લક્ષને વધુ મજબુત રૂપ આપતી તેઓશ્રીની કલમે સમર્થ વિદ્વતાના દર્શન કરાવ્યાં છે. પુસ્તકની શરૂઆતમાં લખેલા ૫૨ સવૈયાઓ સરળ ભાષામાં લખાયેલા છે. સવૈયા નં. ૧૧ માં કવિશ્રી એવી વ્યક્તિને ધન્ય ગણે છે કે જે : ને અરિ-મિત્ત વરાવર ખાનત, पारस और पाषाण ज्युं दोइ; रागअरू, रोष नहि चित्त आके ज्युं, धन्य अहे जगमें जन सोइ. ११ અર્થાત, જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર અને રાગ કે દ્વેષને ગૌણ ગણી બધાં પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે તે નર જગતમાં ધન્ય છે.' આમ સુજ્ઞ નરનાં લક્ષણો દર્શાવ્યા છે. આગળ સવૈયા નં ૧૯માં કવિશ્રીએ આ સંસારની ક્ષણભંગુરતાને અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે. માખી અને કીડીના ઉદાહરણોમાં તેઓ શ્રી કહે છે કે જે રીતે કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જાય અને મધમાખીનું એકઠું કરેલું મધ બીજા કોઈ લઈ જાય એ રીતે મૂર્ખ માણસ કરોડો રૂપિયા એકત્ર કરી જિંદગી આખી ખર્ચી નાખે છે, પરંતુ છેલ્લે તો તેને ખાલી હાથે જ જવાનું હોય છે. આ રીતે જીવનની સાચી રીતને દિશાસૂચન કરી. સરળ ઉદાહરણો દ્વારા સાચી ફિલસૂફી દર્શાવી છે. આવાં તો ઘણાં ઉદાહરણો આ સવૈયાઓમાંથી કહી શકાય, જેમાં જીવનનું સાચું દર્શન છૂપાયેલું છે. નાનાં નાનાં પદોમાં અને
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy