SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬). જીવોના ક્ષયોપશમ ભાવની વૃદ્ધિ કરનારી છે, અશુભ ગતિનો નાશ કરનારી છે. વાણીનો ઉત્તમ અને અસ્તુલિત પ્રવાહ કવિશ્રીના શબ્દોના પ્રવાહને પણ પૂરી રીતે વિકસાવે છે, છતાય રચયિતાશ્રીની નમ્રતા અને વિવેક તો જુઓ! તેઓ શ્રી જણાવે છે કે પરમાત્માની વાણીની વ્યાખ્યા કરવી એ એમના માટે અશક્તિભર્યું કાર્ય છે. આમ આવા મહાસાધક અને મહાન કલમના પ્રદાનીને જ્ઞાનનો આડંબર નથી કે નથી તેઓશ્રીનાં મહાનતાનો દેખાવ કરવાની વૃત્તિ. નર્યો ભક્તિભાવ લઈને જ પ્રગટ થતી વાણીની સાદગી સ્પર્શી જાય એવી એ જ રીતે ૬૭માં પદમાં શ્રી ચિદાનંદજીએ પોતાની કલમને શબ્દોનો પ્રવાહ તો બક્યો જ છે પરંતુ તે સાથે જાણે ચિત્રકારની પીંછી પણ પહેરાવી છે. એટલે જ શબ્દ અને ચિત્રનું સંમિશ્રણ અનેરું બન્યું છે. જાણે એક પ્રત્યક્ષ સમવસરણનું દ્રશ્ય ખડું થાય છે. વાચક પોતે પરમકૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં આ સમવસરણમાં રહીને દ્રશ્ય નિહાળતો હોય એવું પ્રત્યક્ષીકરણ આમાં પ્રયોજેલા શબ્દો કરાવી જાય છે. આ રહૃાાં તે શબ્દચિત્રો ! “હાં રે જિહાં રજત કનક ને રત્નનાં, સુરરચિત ત્રણ પ્રાકાર રે, તસ મધ્ય મણિ સિંહાસને, શોભિત શ્રી જગદાધાર રે... (૩) આ આ રીતે શ્રી ચિદાનંદજીએ શાસનની પાયારૂપ બાબતોને પરમાત્માની વાણીને, પ્રગટ થતાં આત્માનાં સૌન્દર્યને - આત્માના કે ચેતનના કર્તવ્યને અને ખુદ પરમાત્માના પરમ પાવનકારી સ્વરૂયને વિવિધ પદોમાં વણી લેવાનું ઉપકારી કાર્ય કર્યું છે. આત્માનું સ્વરૂપ, આત્માની ઓળખ, ચેતનની સાચી પરખ અને સાચું સ્થાન વગેરે બાબતોને ક્યારેક સંવાદાત્મક-રૂપક શૈલીમાં રજુ કરી છે. શ્રી પર્યુષણ પર્વની સ્તુતિમાં પર્વનો મહિમા તેમજ આત્માના વિવિધ કર્તવ્યોનું ગાન કરી આ મહાપર્વના મહિમાને સાબિત કર્યો છે. આ બાબત એમના જ શબ્દોમાં આ રીતે મૂકી શકાય હે, જ્ઞાનમય મૂર્તિવાળા ! જ્ઞાન સ્વરૂપી આત્મા ! તારી હૃદયરૂપ દ્રષ્ટિને ખોલીને આંતરચક્ષુ વડે જો. તારી સ્થિતિનો અનુભવ કરી, શું કરવા યોગ્ય
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy