________________
(૧૫)
અથતિ
•
‘તન, ધન તેમજ યૌવન વગેરે જેટલાં સુખનાં સાધન હે જીવ! તું માને છે તે બધાં અસ્થિર છે, એટલે કે વાદળની છાયા જેવા ક્ષણવિનાશી છે, એમ હે ચેતન ! તું સમજ.'
આ રીતે શ્રી ચિદાનંદજી બતાવે છે કે હે ચેતન! આ અનુપમ મનુષ્યભવને હજુ પણ હાર્યો નથી. માટે તું પોતાના શુદ્ધ સ્વરૂપને જો ! જેમ તારા આ ભવને સફળ કરીશ તો પરભવ પણ સફળ થશે જ. આવી હિતશિક્ષા બતાવતું આ પદ આત્મસૌંદર્યને છતું કરે છે.
રચયિતા શ્રીએ આ સંગ્રહમાં માત્ર “આત્મા’ વિષયક પદો લખ્યા છે એટલું જ નથી. આ સંગ્રહમાં જુદા જુદા ૧૨ સ્તવનો, શ્રી પવધિરાજ પર્યુષણમાં જૈન શ્રાવકના પરમ કર્તવ્યો અને પર્વનો મહિમા દર્શાવતી ૧ સ્તુતિ તેમજ શ્રી ગુરુમહારાજ સમક્ષ ગવાતી ૧ ગહુલી પણ ધ્યાનાકર્ષક છે. આ સ્તવનોમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. પ૪માં પદમાં શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરતાં તેઓશ્રીએ શ્રી ગિરનાર પર્વતનું મનમોહક દ્રશ્ય ઉપસાવ્યું છે. આ સાથે શ્રી નેમિનાથ પરમાત્માના રૂપનું વર્ણન પણ ચિત્તાકર્ષક બન્યું છે. આ પદ વાંચતા વાંચતા આપણી નજર સમક્ષ એક અકથ્ય અને અજોડ ભાવજગતનું ચિત્રાંકન થયા વગર રહેતું નથી. - કવિશ્રી પાસે શબ્દોનું સામર્થ્ય કેટલું પ્રભાવક છે એનું ઉદાહરણ આપણને આ પદમાં પ્રયોજેલા શબ્દોથી મળે છે.
એવું કહેવાય છે કે આ પદ તેઓશ્રીએ ભાવનગરથી સંઘ કાઢેલ તેમાં જ્યારે ગિરનારજી પધાર્યા ત્યારે રચ્યું હોય એમ લાગે છે.
એ જ રીતે ૬૮માં પદમાં રચયિતાશ્રીએ શ્રી પાર્શ્વજિન સ્તવનમાં શ્રી જિનવાણીનું ઉત્તમ સ્વરૂપે પ્રગટ કર્યું છે. પરમવિદ્વાન શ્રી આનંદધનજીકૃત સ્તવનાવલિમાં પણ જે રીતે જિનવાણીની પ્રસાદીને પરમ પાવનકારી બતાવી છે, પ્રખર પ્રવક્તા અને મહાન સાધક ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સાહેબે જેવી રીતે ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોમાં શ્રી જિનવાણીની ભવ્યતાને સાબિત કરી છેએ જ રીતે અહીં શ્રી ચિદાનંદજીએ દશર્વિલ જિનવાણીનું પદ ભવ્ય