________________
( ૧૩૦ ) માહ મિથ્યાત્વ નિકટ નવિ આવે,
ભવપરિત યુ* પગી છે. અ૦ ૨ ચિદાનંદ ચિત્ત પ્રભુકે ભજનમેં,
અનુપમ અચળ લગી છે. અ૦ ૩
અર્થ—શુદ્ધ ચેતના કહે છે કે-અત્યારે મારા અંતઃકરઘુમાં અનુભવજ્ઞાનની જ્યાતિ જાગૃત થઈ છે.
•
હવે કુટિલ–પ્રપંચી એવી કુમતા મને શું કરી શકે તેમ છે ? કારણ કે હવે તે સુમતા મારી સગી થયેલ છે. (૧)
હવે મિથ્યાત્વમેહની તા મારી પાસેજ આવે તેમ નથી, કારણ કે હવે મારી ભવપરિણતિ પાકી છે—પરિપકવ થઇ છે. (૨) ચિદાનંદજી મહારાજ કહે છે કે હવે તે મારા ચિત્તમાં પ્રભુના ભજનની રટણા અનુપમ અને અચળ એવી લાગી છે.(૩)
સાર- —આ પદમાં શુદ્ધચેતને પાછલા પદમાં કહ્યા પ્રમાણે સુમતાને ત્યાં પધરામણી કરી એટલે શુદ્ધચેતના કહે છે કે- હવે અમને કુમતાના ભય રહ્યો નથી. વળી ભવપરિત પરિપકવ થવાથી મિથ્યાત્વ માહની ઉત્ક્રયમાંથી નાશ પામવાને લઈને સમકિતની પ્રાપ્તિ થયાના ભાવ તે પ્રગટ કરે છે અને ચિદ્યાનંદજી મહારાજ પણ આત્માની એવી સ્થિતિ થવાથી પરમાત્માના ભજનમાં તેનુ ચિત્ત સ્થિર થયાનું જણાવે છે. આ સ્થિતિ સર્વ જીવાને ઉપાદેય છે તેથી તે મેળવવા અનતે પ્રયત્ન કરવા.