________________
(૧૩) ક્ષણમાં તે રૂષ્ટમાન થાય છે, ક્ષણમાં તુષ્ટમાન થાય છે, ક્ષણમાં રંક થાય છે અને ક્ષણમાં રાજા થાય છે. ધ્વજના છેડાની જેમ ચંચળ રાજ કરે છે. એને હું કહું છું તેમાં નેહ આવતું નથી. ૨.
વક્રશિક્ષિત ઘોડાની જેમ તે સવળી શિક્ષા તજીને અવળીઉલટી શિક્ષાએજ વર્તે છે. એની એટલી બધી વિષમ ગતિ છે કે તેને સાહેબ! કઈ અતિશયજ્ઞાનીજ સમજી શકે તેમ છે.૩.
હે પ્રભુ! હું આપને અત્યંત ઉક્તિવર્ડ-પ્રાર્થનાવડે કહું છું, કારણ કે તમારા વિના બીજું કઈ વધારે શાણું-વિચક્ષણ આ જગતમાં નથી. ચિદાન જ કહે છે કે-હવે તે આ વિનતિ હૃદયમાં ધારણ કરવી જ પડશે અને મારા મનને ઠેકાણે લાવી દેવું જ પડશે. હવે તે આ સેવકની લાજ તમારે હાથ છે. ૪.
સાર-આ પદમાં મનની અસ્થિરતાને દુકામાં ચિતાર આપે છે અને તેવી અસ્થિરતા દૂર થવા માટે પરમાત્માની પ્રાર્થના કરી છે. કારણ કે પરમાત્માની કૃપા થયા શિવાય મન વશ આવવું અતિ મુશ્કેલ છે અને એ વશ આવ્યું એટલે જગત વશ થયું સમજવું.
પદ પર મું.
. ( રાગ-સોરઠ–મહાર) તારોજી રાજ તારેજી રાજ, . દીનાનાથ! અબ માહે તારાજી રાજ એ આંકણું. પૂરવ પુણ્ય ઉદય તુમ ભેટે,
તારણ તરણ જિહાજ, દિના ૧