SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) હું આત્મા ! તુ ક્ષણમાં અનેક પ્રકારના જૂદા જૂદા રૂપ ધારણ કરે છે અને વળી પેાતાને અરૂપી કહેવરાવે છે. ક્ષણમાં મૃખ થાય છે અને ક્ષણમાં જ્ઞાની થઇને સર્વ પ્રકારના ન્યાયને સમજી શકે છે. (૨) તને પુગળિક વસ્તુના ચાર કહીએ કે તેનેા ત્યાગી એવા સાધુ કહીએ ? કાંઇ, કહી શકાય તેમ નથી. જુદા જુદા ગુઠાણું તુ જુદા જુદા રૂપ ધારણ કરતા હાવાથી કાંઈ કહી શકાતુ નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે-મને તે એવી શ્રદ્ધા ચિત્તમાં સ્થિત થઈ છે કે તુ જેવા હેતુ (કારણ) મળે છે તેવા થઈ જાય છે. (૩) સાર્~~આ આત્માનો કથા કાંઈ કહી શકાય તેમ નથી એટલે કે તેની વિચિત્રતા છે. તે ક્ષણક્ષણમાં પલટણભાવ પામે છે, તેને અજ્ઞાની જાણીને મૂખ કહીએ તેા તે પાછા તેજ લવમાં કે ભવાંતરમાં જ્ઞાનાવરણીય ક્રમના ક્ષચેાપશમથી જ્ઞાની બની જાય છે. પુગળસંગે રૂપી બને છે અને સત્તાગત અરૂપી છે. ગુડાણામાં ઉતરતા ને ચડતા હેાવાથી તેને એકરૂપે આળખાવી શકાય તેમ નથી. તેથી ચિદાનંદજી મહારાજે તા નિય કર્યાં છે કે-આ આત્મા જેવા કારણા કે સયાગા મળે છે તેવા થઈ જાય છે, માટે ઉત્તમ જનાએ જેમ અને તેમ સારા કારણેા ને સચેાગેા મેળવવા, જેથી આત્મા ઉચ્ચ સ્થિતિને પામે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy