SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ રસના ભાજનમાં-ઠામમાં અમુક દ્રવ્ય (ખાવાને રસ-- વાળા પદાર્થ) નિરંતર રહે છે, પણ તે ભાજનને રસની પીછાનસમજણ પડતી નથી, તેમ માત્ર શ્રુતપાઠી-પપટીઆ જ્ઞાનવાળ રહસ્ય સમજ્યા વિનાના પંડિતને પણ પ્રવચન-શાસ અજ્ઞાની કહે છે. (૨) શ્રતને સાર જાણ્યા વિનાનું જ્ઞાન ચંદનને ભાર વહન. કરનાર ખરની જેમ ભારભૂત કહ્યું છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે અનુભવની શૈલી તે તેમાં એક તાન થઈ જવાથીજ સમજી શકાય છે, તે વિના સમજી કે પામી શકાતી નથી.(૩) સાર–આ પદમાં માત્ર શાસ્ત્ર ભણી ગયેલા પણ વર્તનમાં નહીં ઉતારેલ એવા મનુષ્યને માટે કહે છે કે-ગધેડે જેમ ચંદનને ભાર વહેતે સતે તેની સુગંધને ઉપભેગી બનતું નથી–માત્ર ભાર ઉપાડનારાજ રહે છે, તેમ અનેક શાસ્ત્રો ભણ્યા છતાં જે ઓછેવત્તે અંશે પણ વતન શુદ્ધ કરવામાં ન આવે તે તેનું ભણેલું નિષ્ફળ છે. તેવા મનુષ્ય શા માટે ભણવું ? તેજ સમજી શક્યા નથી. ભણવાની મતલબજ ‘ત્યાકૃત્ય સમજીને અકૃત્ય તજી સત કૃત્ય આદરવાની હોય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-અનુભવજ્ઞાન તે અધ્યાત્મમાં એક તાન થનારજ મેળવી શકે છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy