________________
(૧૦૧) અર્થ– હે ચેતન ! તમે વિષયવાસનાને ત્યાગ કરે અને સાચે માર્ગે લાગી જાઓ.
જ્યાં સુધી આ મન વક્રતુરંગમ'ની જેમ ઇદ્રિયજન્ય સુખ મેળવવા માટે દેડે છે ત્યાં સુધી તેના કરેલા તપ જપ સંજમ દાન વિગેરે સર્વ લેખામાં આવતા નથી. અર્થાત્ તથાપ્રકારનું ફળ આપતા નથી. (૧)
- પાંચ ઇન્દ્રિયો માંહેની એકેક ઇંદ્રિયને કારણે આ જીવ બહુ બહુ પ્રકારના દુઃખ પામે છે.. જુઓ તે સંબંધમાં પરમાત્મા પ્રગટપણે નીચે જણાવેલા દષ્ટાંત આપી તેને ભાવ સમજાવે છે. (૨)
કામદેવના વશપણાથી હાથી આ જગતમાં પરવશપણાના દુઃખને પામે છે અને રસેંદ્રિયમાં લુબ્ધ થયેલા મત્યે જાળમાં સપડાઈ જઈને પછી પસ્તાય છે–પ્રાતે મરણ પામે છે. (૩) " ઘોંદ્રિયના વશવર્તીપણાથી કમળપર બેઠેલ જમર સૂર્યાસ્ત થવાનું દેખે છે છતાં ઉડતાં નથી અને કમળ મીંચાઈ જવાથી તેના સંપુટમાં બંધાઈ જાય છે. તે સવારે કમળ ઉધડતાં નીકળવાનું ધારે છે, પરંતુ સવાર પડ્યા અગાઉ તે તે કમળને સંપુટ હાથીને મેઢામાં ભ્રમર સહિત જાય છે. અર્થાત્ હાથી આવીને તે કમળ ખાઈ જાય છે. (૪)
વળી દીપકનું મનોહર રૂપ જોઈને પતંગીએ તેમાં જઈને પડે છે અને બળી મરે છે. જુઓ ! તેને દુઃખના કારણમાં તેના નેત્રે સહાયભૂત થાય છે. (૫)
૧ અવળી ચાલને ઘોડે. ૨ સ્પર્શ કિયના વશવર્તિપણાથી.