SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ( EC ) તુ તેની સાથે-એવા સદ્ગુરૂની સાથે ચાલ. તેના જેવી પ્રવૃત્તિ સ્વીકાર. ૪. સાર્—આ પદમાં ખાસ કરીને આ ફ્રેડની વિનાશકારક સ્થિતિ બતાવીને તેના પરના મમત્વ છેડવા માટે ઉપદેશ આપેલ છે. આ દેહ કાચા ઘડા જેવા છે. એક ઢણુકા લાગતાં એટલે કેઇપણ પ્રકારના ઉપક્રમ લાગતાં તેને વિનાશ થઈ જાય છે. વળી જે તેની સ્થિતિ-આચુકમની સ્થિતિ કાઈ જગ્યાએ જતાં અધવચ પૂરી થઇ જાય તેા દેહ તરતજ આત્માને તજી દે છે. એક પળની પણ શરમ રાખતું નથી. આવા ક્ષવિનાશી ને નશરમા દેહ ઉપર મમતા ધરાવી તેના પાષણમાં રાતદિવસ ઉદ્યુકત રહેવુ તે આ જીવની મૂર્ખતા છે. એટલે ચિદાન દજી મહારાજ શિખામણ આપે છે કે-તેવા વિનાશી દેહના સ્નેહ તજી દઈને સદ્ગુરૂના સાથ ગ્રહણ કરી તેની સાથે આત્મહિતના માર્ગે ગમન કર. પ્રમાદીપણું તજી દે. પદ ૩ર મુ (રાગ—આશાવરી,) અબ પિયા અનુભવરસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા૧ આંકણી. અંતર સમયાતર રસભેદી, પરમ પ્રેમ ઉપજાવે; ૧ પ્રેમ મતવાલા એવા પાઠાંતર છે. તેના અ-આત્મા પ્રત્યેના પ્રેમમાં મતવાલા મદાન્મત્ત બનેલા, એવા થાય છે ૨ રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર આ સાત શારિરીક ધાતુ ગણાય છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy