________________
ખંડ : ૧ લે
ભાંડને આપ્યું હતું એટલે એનાથી કાંઈ થઈ શકે તેમ ન હતું. એટલે ચેરની મા કેઠીમાં મેં ઘાલીને રોવા જેવું થયું.) આજના જેવું કાયદાતંત્ર હોય તે જરૂર ભાંડ ઉપર કેર્ટમાં દાવો કરત. આજને ન્યાય તે જુઓ. કાયદા પાછળ કાનુને લગાડીને ગુનેગાર છૂટી જાય છે. ન્યાય એટલે નિર્દોષ માર્યો ન જાય અને ગુનેગાર છુટી ન જાય તે જ સાચો ન્યાય કહેવાય. આજે તો ઘણા ખરા દોષિત નિર્દોષ છૂટી જાય છે અને નિર્દોષ કઈ વખત માર્યો જાય છે. કારણ ન્યાય કરતાં કાયદાને માન વધુ અપાય છે.
દોષિતને છુટી જવા માટે પૈસે એક ઘણું મોટું બળ બની જાય છે. એના બળે કાયદાના નિષ્ણાતને રોકી શકે છે અને એ નિષ્ણાતો પિતાને દિમાગને કામે લગાડીને ખુલ્લા રાષિતને પણ કાયદામાંથી છટકાવી દઈને મહાન વકીલનું બિરૂદ મેળવી લે છે.
ન્યાય કરનાર ન્યાયાધીશ પોતે પણ કાયદાની નજરે જ વા બંધાયેલા હોય છે. એમને ન્યાય કરવા કરતાં કાયદો વધુ જેવા હોય છે. આથી જ એક ન્યાયાધીશે એક ગુનેગારને કહ્યું કે “મને તે તું ચોકકસ અપરાધી લાગે છે. પરંતુ કાયદાની જાળમાં તું આવી શક્તિ નથી તેથી તને નિર્દોષ છોડી મુકું છું. હવે આને ન્યાય કહે કે કાયદે કહે ? દાવપેચમાં હોશિયાર શ્રીમંત અપરાધીઓ ઉસ્તાદ વકીલો રેકને નિર્દોષ છુટી જતા હોય છે. જ્યારે ગરીબ માણસે એવા વકીલ ન રોકી શકવાને કારણે સજા પામતા હોય છે. એને ન્યાય કેમ કહેવાય?