SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લો રહે આ બધું શાથી? ધનવાન-ગરીબ, રોગી-નિગી, સારા કે નરસા મા-બાપને સાગ શાથી? આપણી ઇચ્છાને આધીન એ નથી. જે તેમ હોય તે શું કઈ દેવાદારને ત્યાં, રોગીને ત્યાં કે નરસાને ત્યાં અવતરવા ઇછે? કદાપિ નહીં. ત્યારે જે કારણ છે તે કર્મ નશીબ, ભાગ્ય, પુણ્ય કે પાપ જે કહો તે બધી એક જ વાત છે. જન્મ કર્મને આધીન છે. પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ ઉમાસ્વાતિવાચકવરજી મહારાજા ભવ્ય જેને ઉપકારને માટે ધર્મદેશના દેતાં જણાવી રહ્યાં છે કે આ જીવ ચતુર્ગતિ રૂપ આ ભીષણ સંસારમાં અનાદિ કાળથી રખડે છે, રખડ્યા કરે છે, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સંસારની રખડપટી ચાલુ રહેવાની છે. મેક્ષ મળે તે અનાદિની આફત ટળે. જ્યાં સુધી કર્મબંધ ન રોકાય ત્યાં સુધી જન્મકર્મની અનાદિની પરંપરા છે તે ચાલુ જ રહેવાની, એટલે તે ચતુર્ગતિ-રૂપ આ ભીષણ સંસારમાં જીવ અનાદિ કાળથી પડે છે. અને જન્મ મરણક્ય કરે છે. એક ભવમાં મરવું, બીજે જન્મવું ત્યાં જિંદગી પુરી થયે મરવું વળી જન્મવું આ કેમ ચાલુ જ છે. ધર્મ કરવાને હેતુ કો? કર્મને ક્ષય કરે. મુક્તિ મેળવવી એ ધર્મ કરવાને હેતુ છે. જન્મ, કર્મ અનાદિથી છે માટે કર્મોને ક્ષય કરવાને છે, જન્મ અટકાવવાને છે, મુક્તિ એટલે શાશ્વત સ્થિતિ સંપાદન કરવાની છે. કર્મ
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy