________________
૨૪
સબધ યાને ધર્મનું સ્વરૂપ જયણા પૂર્વક ચાલે તે જૈન છે. મુદ્દાની વાત. આપણે જૈન શાથી? જેન તરીકે જન્મે એને ખાસ છેશું કે તિલક નથી, પણ જન્મથી જ સંસ્કાર એવા લઈને જન્મે છે કે જીવને પિતાને જ જવાબદાર ને જોખમદાર માને. શાસ્ત્રકારે ફરમાવે છે કે આવતે જન્મ તમારી જવાબદારીની વસ્તુ છે અને આ જન્મ તમારી જોખમદારીની વસ્તુ છે, જેવા કર્મો કરશો તે જન્મ મલશે. મનુષ્યના દેહની દુર્લભના તે જૈન અને જૈનેતર બધાયે કબુલી છે. ફરક એટલે કે જૈને જીવને જ જવાબદાર કે જોખમદાર માને છે. જે પોતે પિતાની મેળે મનુષ્યત્વ મેળવ્યું માને છે, જ્યારે જેને તે ઈશ્વરે આપ્યું માને છે. અને સુખ દુઃખને હવાલે ઈશ્વરને આવે છે. છતાં કર્મ તેવું ફળ એમ તે તેઓ પણ કહે છે.
કોઈ મરી જાય ત્યારે સાંત્વનના કાગળો લખાય છે કે ભગવાનને ગમ્યું તે ખરું. દેષને હવાલે ભગવાનને ? (આ તે લેક ભાષા છે.) સંગતના દોષ જેને પણ આ રીતે લખે છે. ઈતર ધર્મમાં ઘરના વડીલે મરી જાય ત્યારે તેનું તારણું કરવું જોઈએ તે તેના જીવની ગતિ થાય એમ કહે છે.
આપણે જ્યાં જન્મ્યા ત્યાં કાંઈ માતાના મનરથથી, પિતાની પ્રાર્થનાથી કે પિતાની ઈચ્છાથી જન્મ્યા નથી. કોટિધ્વજને ત્યાં અવતરનાર કરેડને માલિક થઈ જાય છે, કહો એ આ ભવમાં કયાં કમાવવા ગયા હતા? દેવાદારને ત્યાં અવતરનાર દેવાને વારસદાર થાય છે એ બિચારો કયાં દેવું કરવા ગયા હતે? જન્મતાં કઈ રેગી થાય, કેઈ નિરંગી